Amphotericin

મ્યુકરમાઇક્રોસિસની સારવાર માટે વપરાતા ઇન્જેક્શન(Amphotericin B)નો જથ્થો આજે મોડી રાત્રે ગુજરાત આવશે, જાણો શું કહ્યું સીએમ રુપાણીએ?

Amphotericin B: રાજ્યમાં આ Mucormycosis રોગ ના દરદીઓને રાજ્યમાં પૂરતી દવાઓ ઇન્જેક્શન સરળતાથી મળી રહે તે માટે સમગ્ર આરોગ્ય તંત્રને મુખ્યમંત્રી એ પ્રેરિત કર્યું છે

અહેવાલ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ

ગાંધીનગર, ૨૩ મે: Amphotericin B: મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી એ સ્પષ્ટ પણે જણાવ્યુ છે કે રાજ્ય સરકાર લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માં વૃદ્ધિ થાય, લોકો નું આરોગ્ય જળવાઈ રહે માટે સતત પ્રયત્નશીલ છે. તેમણે કહ્યું કે દેશ માં હાલ Mucormycosis નો રોગચાળો વ્યાપક થયો છે ગુજરાતમાં પણ આ રોગ ના કેસો જોવા મળ્યા છે. આ રોગના દર્દીઓની સારવાર માટે સરકારી હોસ્પિટલોમાં અલાયદા વોર્ડ શરુ કરવામાં આવ્યા છે તેમજ ખાનગી હોસ્પિટલો પણ આ રોગ ના દર્દીઓની સારવાર કરે છે.

આ રોગ ની સારવાર માટે જરૂરી એવા ઇન્જેક્શન ની સર્વ વ્યાપી ઘટ હોવા છતાં રાજ્ય સરકારે આગોતરી અને યોગ્ય વ્યવસ્થાઓ કરી ને અત્યાર સુધી મેડિકલ કોલેજો/જનરલ હોસ્પિટલ/કૉર્પોરેશન સંચાલિત દવાખાનાઓને 20,700 થી વધુ ઇન્જેક્શન Amphotericin B ઉપલબ્ધ કરાવી આપ્યા છે.

Whatsapp Join Banner Guj

આ ઇન્જેક્શન Amphotericin B નો વધુ જથ્થો આજે રવિવારે મોડી સાંજે મળવાનો છે આ જથ્થો તાત્કાલિક મેડિકલ કોલેજો/જનરલ હોસ્પિટલ/કૉર્પોરેશન સંચાલિત દવાખાનાઓને ફાળવી દેવામાં આવશે તેમ મુખ્યમંત્રીશ્રી એ ઉમેર્યું છે એટલું જ નહિ આવનારા દિવસોમાં પણ આ ઇન્જેક્શન ની તંગી ના પડે કે અછત ઊભી ના થાય તે હેતુસર ગુજરાત સરકાર દ્વારા ઇન્જેક્શન Amphotericin B નો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ કરાવવામા આવશે.

ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓને આ દવા આરોગ્ય વિભાગના દિશાનિર્દેશ પ્રમાણે ઉપલબ્ધ કરાવવામાં આવશે. મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી એ રાજ્યમાં આ Mucormycosis રોગ ના દરદીઓને રાજ્યમાં પૂરતી દવાઓ ઇન્જેક્શન સરળતાથી મળી રહે તે માટે સમગ્ર આરોગ્ય તંત્રને પ્રેરિત કર્યું છે તેમણે રાજ્યના લોકો ને પણ વિશ્વાસ આપ્યો છે કે આ Mucormycosis ના રોગ સામે પણ ગુજરાત કોરોના સામે મેળવી છે તેમ જ સફળતા મેળવશે

આ પણ વાંચો…સમોસા તળ્યા બાદ વધેલા તેલમાંથી ચાલશે હવાઈ જહાજ, કાર્બન ઉત્સર્જન ઘટાડવા ફ્યુઅલ(carbon jet fuel) બનાવશે આ કંપની