રાજ્યમાં આજે કોવિડ -૧૯ ના ૧,૫૪૦ નવા દર્દીઓ નોધાયા જાણો સંપૂર્ણ માહિતી તમારા જિલ્લાના
અમદાવાદ, ૨૫ નવેમ્બર: આજે રાજયના વિવિધ જિલ્લાઓ માં કુલ ૧,૫૪૦ કેસ નોંધાયા છે. સાથે આજે ૧,૨૮૩ દર્દીઓ એ કોરોનાને માત આપી સાજા થઈને પોતાના ઘરે ગયા છે. અત્યાર સુધીમાં ૨ાજયના કુલ ૧,૮૩,૭૫૬ દર્દીઓ સાજા થયા છે. રાજયનો સાજા થવાનો દર ૯૦.૯૯ છે. એ જ રીતે કોરોના ટેરર્ટીગ ની ક્ષમતા પણ વધા૨વામાં આવી. રહી છે.
આજે રાજ્યમાં કુલ ૯૧,૪૫૯ ટેરટ કરવામાં આવ્યા છે રાજ્યની વસ્તીને ધ્યાને લેતા પ્રતિદિન ૧૪૦૭.૦૬ ટેસ્ટ પ્રતિ મિલિયન જેટલા થવા પામે છે. રાજયમાં અત્યાર સુધીમાં કુલ ૭૪,૮૦,૭૮૯ ટેરટ કરવામાં આવ્વા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૪,૯૪,૬૦૭ વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે જે પૈકી ૪,૯૪,૪૭૫ વ્યક્તિઓ હોમ ક્વૉરેંટાઈન છે અને ૧૩૨ વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે, વેન્ટીલેટર પર ૯૬ દર્દીઓ છે
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે. ૨ાજય સ૨કા૨ના સઘન પ્રયાસોના પરિણામે કોરોના વાયરસના સંક્રમણનું પ્રમાણ ધીમે ધીમે ઘટી ૨હ્યુ છે.