Vaishno Devi Katra special trains canceled: નોન – ઇન્ટરલોકિંગ કાર્યને કારણે પશ્ચિમ રેલ્વેની કેટલીક ટ્રેનો રદ રહેશે
Vaishno Devi Katra special trains canceled: ગાંધીધામ – શ્રી વૈષ્ણો દેવી કટરા સ્પેશિયલ, હાપા – શ્રી વૈષ્ણો દેવી કટરા સ્પેશિયલ અને જામનગર – શ્રી વૈષ્ણો દેવી કટરા સ્પેશિયલ ટ્રેનો રદ રહેશે.
અમદાવાદ , ૦૩ જૂન: Vaishno Devi Katra special trains canceled: ઉત્તર રેલ્વેના અંબાલા મંડળના સરહિંદ સ્ટેશન પર નોન ઇન્ટરલોકિંગ કાર્યને કારણે ગાંધીધામ – શ્રી વૈષ્ણો દેવી કટરા સ્પેશિયલ, હાપા – શ્રી વૈષ્ણો દેવી કટરા સ્પેશિયલ અને જામનગર – શ્રી વૈષ્ણો દેવી કટરા સ્પેશિયલ ટ્રેનો રદ રહેશે. જે આ મુજબ છે: –
1. ટ્રેન નંબર 04675 ગાંધીધામ – શ્રી વૈષ્ણો દેવી કટરા સ્પેશિયલ 26 જૂન 2021 ના રોજ અને ટ્રેન નંબર 04676 શ્રી વૈષ્ણો દેવી કટરા – ગાંધીધામ સ્પેશિયલ 24 જૂન 2021 ના રોજ રદ (Vaishno Devi Katra special trains canceled) રહેશે.
2. ટ્રેન નંબર 04677 હાપા – શ્રી વૈષ્ણો દેવી કટરા સ્પેશિયલ 29 જૂન 2021 ના રોજ અને ટ્રેન નંબર 04678 શ્રી વૈષ્ણો દેવી કટરા – હાપા સ્પેશિયલ 28 જૂન 2021 ના રોજ રદ રહેશે.
3. ટ્રેન નંબર 04679 જામનગર – શ્રી વૈષ્ણો દેવી કટરા સ્પેશિયલ 30 જૂન 2021 ના રોજ અને ટ્રેન નંબર 04680 શ્રી વૈષ્ણો દેવી કટરા – જામનગર સ્પેશિયલ 27 જૂન 2021 ના રોજ રદ રહેશે.