58 years corona patient edited

“કોરોનારૂપી આપદાએ આયુર્વેદ ઉપચાર પ્રત્યે મારો વિશ્વાસ મજબૂત કર્યો છે”: કોરોના દર્દી

58 years corona patient edited
  • ઉંમરના આંકડા નહીં પરંતુ તન-મનની શક્તિના સંગઠન સાથે કોરોના સામે વિજ્યી બનતા રાજકોટવાસીઓ
  • “કોરોનારૂપી આપદાએ આયુર્વેદ ઉપચાર પ્રત્યે મારો વિશ્વાસ મજબૂત કર્યો છે”: ૫૮ વર્ષીય પ્રેમનાથભાઈ મિશ્રા

અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ

રાજકોટ, ૧૬ ઓક્ટોબર: પરિવર્તન એ સંસારનો નિયમ છે, પછી એ પરિવર્તન સકારાત્મક હોય કે નકારાત્મક. માણસ તેમાંથી કંઈક ને કંઈક શીખતો હોય છે. સમજીએ છીએ કે, કોરોનાએ મનુષ્યના સામાન્ય જીવનમાં ઘણા ફેરફાર કર્યા છે. પરંતુ આ મુશ્કેલ સમયે આપણને ઘણું બધું શીખવ્યું છે. જે બાબતોને આપણે ‘‘ટેકન ફોર ગ્રાન્ટેડ’’ લેતા, તેનું મુલ્ય સમજાવ્યું છે. જે પૈકીની એક બાબત એટલે આયુર્વેદ . કોરોનાએ આપણને ફરીથી આયુર્વેદિક ઉપચારોની અસરકારકતા અને રોગને મુળમાંથી નાશ કરવાની શક્તિનો અનુભવ કરાવ્યો છે. કોરોનાના આ કાળમાં આયુર્વેદ ઉપચાર પ્રત્યે આવો જ દ્રઢ વિશ્વાસ પ્રસ્થાપિત થયો છે ૫૮ વર્ષીય પ્રેમનાથભાઈ મિશ્રાને.

૪-૫ દિવસ ખાનગી હોસ્પિટલમાં દવા લીધા બાદ પણ તબિયતમાં સુધારો ન થયો. ઘરમાં હળદરવાળું દૂધ, નાસ, આયુર્વેદિક ઉકાળો ચાલુ જ હતો. છઠ્ઠા દિવસે ભયંકર તાવ, શરીરમાં નબળાઈ પણ મન મજબૂત હતું. એકલો બાઈક લઈને ગયો અને એન્ટીજન ટેસ્ટ કરાવ્યો. ટેસ્ટ પોઝીટીવ આવતા કોઈ પણ પ્રકારનો ભય રાખ્યા વગર સારવાર અર્થે સમરસ કોવીડ કેર સેન્ટરમાં દાખલ થયો.

સમરસ કોવીડ કેર સેન્ટરમાં મળેલી સારવાર અને પોતાના અનુભવ વિષે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે, “કોરોના થયાં બાદ સમજાયું કે ઉંમરના આંકડામાં ફસાવાનું નથી. મોટી ઉંમર હોય તો થોડી વધુ કાળજી રાખવી પણ ગભરાવું તો નહીં જ. અને બીજી વાત એ કે જ્યાં સુધી કોરોનાની દવા ન આવે ત્યાં સુધી આયુષ મંત્રાલયએ સુચવેલા આયુર્વેદિક ઉકાળા અને શમશમવટ્ટીનું સેવન કરવું. સમરસ કોવીડ કેર સેન્ટરમાં પણ રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટે ગરમ દૂધ, ઉકાળો અને પૌષ્ટિક આહાર આપવામાં આવી રહ્યો છે. દર્દીઓને સારી સારવાર આપી રહ્યા છે આરોગ્ય કર્મીઓ. સ્વસ્થ થઈને ઘરે આવ્યો ત્યાં સુધીમાં કોરોનારૂપી આપદાએ મારામાં આયુર્વેદ પ્રત્યેનો વિશ્વાસ મજબુત કરી દીધો હતો.”

૫૮ વર્ષીય પ્રેમનાથભાઈની જેમ અનેક લોકો તન-મનની શક્તિના સંગઠન સાથે કોરોનામુક્ત થયા છે. એટલું જ નહીં, પોતાના રોજીંદા જીવનમાં આયુર્વેદને સ્થાન આપીને સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સજાગ બની રહ્યા

loading…