natukaka

નટુકાકાની તબિયતને લઈને આવ્યા સારા સમાચાર,જલ્દી જ પરત ફરશે સેટ પર

Natu kaka Tarak mehta

મુંબઈ, ૦૩ ડિસેમ્બર: ટેલીવિઝન જગતના સૌથી લોકપ્રિય શો ‘તારક મહેતા કા…’ માં નટુકાકાનું પાત્ર ભજવનાર ઘનશ્યામ નાયક હવે સ્વસ્થ છે અને ફરી સેટ પર પરત ફરવા માંગે છે.  ઉલ્લેખનીય છે કે ગત સપ્ટેમ્બર મહિનામાં તેમના ગળાનું ઓપરેશન કરવામાં આવ્યું હતુ અને કેટલીક ગાંઠો કાઢવામાં આવી હતી. હવે તેમની હાલત સુધારા પર છે અને સેટ પર પાછા ફરવા માંગે છે.

76 વર્ષીય ઘનશ્યામ નાયકે જણાવ્યું હતું કે, ‘હવે હું ફીટ છુ અને મેકર્સ મને પાછો બોલાવે તેની જ રાહ જોઇ રહ્યો છું. હું શૉ અને મેમ્બર્સને ખૂબ જ યાદ કરુ છું. ટીમ મેમ્બર્સ પણ મારી આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. મારી હાલત સુધારા પર છે અને જો મેકર્સ મને પરત બોલાવી લેશે તો 7-10 દિવસની અંદર શૂટ શરૂ કરી દઇશ. હું એકદમ ચોખ્ખું બોલી શકું છું. મારા રિપોર્ટ કરાવવામાં આવ્યા છે જે તમામ રિપોર્ટ નેગેટિવ છે.’