જામનગરમાં શ્રીરામ મંદિર નિર્માણ માટે નિધીનો પ્રવાહ અવિરત…
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૨૫ જાન્યુઆરી: જામનગરના વિશ્વ પ્રસિદ્ધ ગ્રીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકર્ડ માં બે વખત સ્થાન મેળવનાર શ્રીબાલા હનુમાન સકિર્તન મંદિર તરફ થી રૂપિયા 555555 પ્રમુખ કિશોરભાઈ દવે મંત્રી વિનુભાઈ તન્ના ટ્રસ્ટી શ્રીઓ દ્વારા
તેમજ કબીર આશ્રમ તરફ થી નિધિમાં રૂપિયા 100000કબીર આશ્રમ ભાયા ભાઈ કેશવાલા, મનુભાઈ સોની ટ્રસ્ટીઓ દ્વારા તેમજ રૂપિયા 25000 સ્વામિનારાયણ મંદિર ચતુર્ભુજ દાસજી મહારાજ શ્રી રામ જન્મભૂમિ તીર્થ સ્થાન સમિતિ જામનગરના મનોજભાઈ અડાલજા, ભરતભાઇ મોદી, ભરતભાઇ ફલિયા, જ્ઞાનેન્દ્ર સિંગ અને વ્રજલાલભાઈ પાઠક ને અર્પણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે કૃષ્ણમણી જી મહારાજ લક્ષ્મણદેવજી મહારાજ ચતુર્ભુજ દાસજી મહારાજ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો…હસ્તરેખાઃ જુઓ, તમારા હાથમાં આ રેખા છે, તો તમને ક્યારેય નહીં થાય આર્થિક મુશ્કેલી!