જામનગરના શ્રી કૃષ્ણ ભક્તો એ કોરોનાના કેહર થી ઘરે બેઠા ઉજવ્યો કૃષ્ણ જન્મોત્સવ
રિપોર્ટ:જગત રાવલ
શ્રી કૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીનું શ્રી કૃષ્ણ ભક્તોમાં અનેરું મહત્વ હોય છે, પ્રતિવર્ષ કૃષ્ણ ભક્તો જન્માષ્ટમીના પર્વ પર ડાકોર, દ્વારકા અને મથુરા જવાનું પસંદ કરે છે પણ… આ વર્ષે કોરોનાના કેહરના કારણે દરેક મંદિરોમાં ભક્તો ના પ્રવેશ પર મનાઈ હોઈ ભક્તો એ ઘરે બેઠા ભગવાનનો જન્મોત્સહવ ઉજવ્યો હતો.
જામનગરમાં શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ભારે ઉમંગ ઉલાસ વચ્ચે ભક્તો એ ઘરે બેઠા ઉજવ્યો હતો અને કોરોના સામે પણ ધાર્મિક હર્ષોઉલાસ સાથે જન્મોત્સહવ ઉજવ્યો હતો.