Jabalpur Division: જબલપુર ડિવિઝનના માલખેડી સ્ટેશન પર નોન ઇન્ટરલોકિંગ કાર્યને કારણે અમદાવાદની ત્રણ ટ્રેનો પ્રભાવિત રહેશે

Jabalpur Division: નોન ઇન્ટરલોકિંગ કાર્ય અને ત્રીજી લાઇનના કાર્યને લીધે, અમદાવાદથી ચાલતી / પસાર થતી ત્રણ ટ્રેનો પ્રભાવિત રહેશે

અમદાવાદ, ૨૫ જૂન: Jabalpur Division: પશ્ચિમ મધ્ય રેલ્વેના જબલપુર ડિવિઝનના કટની-બીના રેલ ખંડના માલખેડી સ્ટેશન પર નોન ઇન્ટરલોકિંગ કાર્ય અને ત્રીજી લાઇનના કાર્યને લીધે, અમદાવાદથી ચાલતી / પસાર થતી ત્રણ ટ્રેનો પ્રભાવિત રહેશે. જે નીચે મુજબ છે: –

  1. 25 જૂન 2021 ના ​​રોજ ટ્રેન નંબર 05560 અમદાવાદ-દરભંગા સ્પેશિયલ વાયા સંત હિરદારામ નગર, ઇટારસી, જબલપુર અને કટની થઈને દોડશે.
  2. 28 જૂન 2021 ના ​​રોજ ટ્રેન નંબર 01466 જબલપુર-સોમનાથ સ્પેશિયલ વાયા જબલપુર, ઇટારસી અને સંત હિરદારામ નગર થઈને દોડશે.
  3. 26 અને 28 જૂન 2021 ના ​​રોજ ટ્રેન નંબર 01465 સોમનાથ-જબલપુર એક્સપ્રેસ વાયા સંત હિરદારામ નગર, ભોપાલ, ઇટારસી અને જબલપુર થઈને દોડશે.
Whatsapp Join Banner Guj

આ પણ વાંચોઃ કરીના કપૂર ખાન સીતામાતા(Role of mata sita) ના રોલમાં જોવા મળે નહીં, હવે માતા સીતાના રોલ માટે આ અભિનેત્રીની થઇ શકે છે પસંદગી!