બેલેટ પેપરની મતગણતરીમાં ગેરરીતિ થઈ છે. ગેરરીતી થઇ જેથી ચૂંટણી રદ્દ કરવા આદેશ કર્યો છે. ચૂંટણી અધિકારીએ પણ બેદરકારી કરી છે.

 ભુપેન્દ્રસિંહ ચુડાસમા સામે પિટિશન કરનાર કોંગ્રેસના ઉમેદવાર અશ્વિનભાઈ રાઠોડના વકીલ શ્રી એસ.પી.મજમુદારની બાઈટ.

વીડિયો કોન્ફરન્સથી ચુકાદા બાદ કોર્ટના અવલોકનથી ચુકાદો આવ્યો છે. બેલેટ પેપરની મતગણતરીમાં ગેરરીતિ થઈ છે. ગેરરીતી થઇ જેથી ચૂંટણી રદ્દ કરવા આદેશ કર્યો છે. ચૂંટણી અધિકારીએ પણ બેદરકારી કરી છે.

શું છે મામલો

ગુજરાત વિધાનસભાની 2017માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ધોળકા બેઠક પરથી માત્ર 327 મતે જીત્યા હતા. આ મત ગણતરીમાં બેલેટ પેપરની ગણતરી કરવામાં ના આવતા સમગ્ર વિવાદ ઉદ્ભવ્યો હતો. આ મામલે કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે ફરિયાદ કરી હતી કે બેલેટ પેપરના 429 જેટલા મત તેમના તરફી હતા તેને ધ્યાને લેવામાં આવ્યા ન હતા.

ચૂંટણી પંચના નિયમ અનુસાર EVMની મત ગણતરી પહેલા બેલેટ પેપરની ગણતરી કરવાની જોગવાઇ છે. જોકે, આ નિયમને બાજુમાં મુકી EVMની સીધી મત ગણતરી કરવામાં આવી હતી. આચારસંહિતા હતી ત્યારે ભૂપેન્દ્ર ચુડાસમાને લાભ કરાવવાના હેતુથી ડેપ્યુટી કલેક્ટર તરીકે ગૌરાંગ પ્રજાપતિના સ્થાને ધવલ જાનીની નિમણૂંક કરાઇ હતી.

ગુજરાત રાજ્યના કાયદામંત્રી – શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ધોળકા બેઠકની જીતને ગેરલાયક ઠેરવી નામદાર ગુજરાત હાઈકોર્ટએ ચુંટણી રદ્દ કરવાના ઐતિહાસિક નિર્ણયને આવકારતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડા અને ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે સત્તા સ્થાને પહોચવા ગેરરીતી, સત્તા, વ્યવસ્થાતંત્રનાં દુરુપયોગ કર્યા પછી પણ સત્ય વાત ગુજરાતના લોકો સમક્ષ આવી ગઈ છે. માત્ર સત્તા મેળવવા હથકંડાઓથી ભાજપનો અનૈતિકતાનો ચેહરો ખુલ્લો પડી ગયો છે. અગાઉ ભાજપે ૨૦૧૨ અને ૨૦૧૭ની ચુંટણીમાં પણ આવી ભ્રષ્ટ પ્રેક્ટીસ આચરી હોવાનું આ ચુકાદા પરથી શંકા ઉદભવે એ સ્વાભાવિક છે. નામદાર હાઈકોર્ટનાં ચુકાદા પછી ભાજપમાં થોડી પણ નૈતિકતા બચી હોય તો હાઇકોટનાં ઐતિહાસિક ચુકાદાને સુપ્રીમમાં પડકારવાને બદલે શિક્ષણમંત્રી-કાયદામંત્રી પાસેથી રાજીનામું લેવું જોઈએ. ગુજરાતમાં યોજાયેલ વર્ષ ૨૦૧૭ના વિધાનસભામાં ધોળકા બેઠકના ભાજપનાં ઉમેદવાર અને ગુજરાતનાં શિક્ષણમંત્રી-કાયદામંત્રી ભૂપેન્દ્રસિહ ચુડાસમાએ ચુંટણીમાં કરેલી ગેરરીતિઓ અને અનૈતિકતાથી મેળવેલ જીતને નામદાર ગુજરાત હાઈકોર્ટેએ આપેલ ચુંટણી રદ્દનાં ચુકાદા આવકારતા ગુજરાત કોંગ્રેસના પ્રભારી શ્રી રાજીવ સાતવે જણાવ્યું હતું કે નામદાર ગુજરાત હાઈકોર્ટએ ભાજપના ચુંટણીના ગેરીરીતના મોડેલને પ્રજા સમક્ષ ખુલ્લું પડી દીધું છે. ભાજપ દ્વારા સામ,દામ, દંડ, ભેદ અને વ્યવસ્થાતંત્રના દુરુપયોગ કરી મેળવેલી જીતને ગુજરાત હાઈકોર્ટ દ્વારા રદ્દ થવાથી આખરે જીત લોકો અને સત્યની થઇ છે. સત્ય અને નૈતિકતાના પક્ષમાં આવેલા નામદાર ગુજરાત હાઈકોર્ટના ચુકાદા બાદ કોંગ્રેસ પક્ષનાં રાષ્ટ્રીય પ્રવકતા શ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ગુજરાતના કાયદાપ્રધાન -શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ધોળકા બેઠક પર પેપેર બેલેટની મત ગણતરીમાં ગેરરીતી આચરી જીત મેળવી હોવાથી નામદાર ગુજરાત હાઈકોર્ટએ તેમની ચુંટણીને રદ્દ કરી છે. નાગરિકો વચ્ચે હંમેશા રહેતા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રી અશ્વિન રાઠોડએ પોતાના વિસ્તારમાં કરેલી કામગીરી અને કોંગ્રેસ પક્ષની જનકલ્યાણલક્ષી સંકલ્પો સાથે ચુંટણી લડી હતી જેમાં તે જીત માટે આશ્વસ્થ હતા પરતું ચૂટણીમાં સત્તા, પૈસા અને ચુંટણી અધિકારી સાથેના સંડોવણી કરી ભાજપના ઉમેદવારે પોતાની જીત મેળવી હતી. જે ગેરરીતી અંગેનાં પુરાવા તપાસીને આજે નામદાર ગુજરાત હાઈકોર્ટ ચુકાદો ગુજરાતની જનતાના અને સત્યના પક્ષમાં આપ્યો છે. ભાજપ પક્ષનાં ચુંટણી જીતવા કરવામાં આવતા કાવાદાવા અને ગેરરીતી ગુજરાતના લોકો સમક્ષ આવી ગયા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુન મોઢવાડિયા એ ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે ગુજરાતની ચૂટણીઓમાં કાવાદાવા અને ભ્રષ્ટ રાજકારણની સાથે સાથે સત્તા, પૈસા અને મેનપાવરના જોરે ભાજપ જે રીતે સત્તા લાલસા સંતોષી રહી છે તેનો ગુજરાત હાઈકોર્ટનાં આજના ઐતિહાસિક અને સીમાચિહ્નરૂપને પગલે પર્દાફાશ થઇ ગયો છે. સત્તાની લાલચમાં સત્તા ટકાવી રાખવા, સત્તા હાંસલ કરવા અને સત્તા પર બન્યા રહેવા માટે ભાજપ ગમે તે હદે જઈ શકે છે. નામદાર હાઈકોર્ટનાં ચુકાદા બાદ નૈતિકતાનાં ધોરણે શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ. આજના ઐતિહાસિક ચુકાદા બાદ ગુજરાત વિધાનસભાની ૨૦૧૭ની ચુંટણી દરમ્યાન કોંગ્રેસ જે બેઠકો પરથી ઓછા માર્જીનથી હાર થઇ હતી અને જ્યાં આ પ્રકારની ગેરરીતીની આશંકા છે તેની કાયદાકીય લડત પણ વધુ વેગવંતી અને અસરકારક બનાવાશે. નામદાર ગુજરાત હાઈકોર્ટનો આજનો ચુકાદો માત્ર ગુજરાતનાં રાજકારણ માટે જ નહિ પરંતુ સમગ્ર દેશના રાજકારણ અને ચુંટણીપ્રકિયા માટે સીમાચિન્હરૂપ અને માર્ગદર્શક બની રહશે.