આજે રાજ્યમાં ૭૧૨ નવા કેસો નોધાયા, ૪૭3 દર્દીઓ સાજા થયા
ભારતના સાત રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં ઓછા કેસ: ભારતમાં કોવિડ-૧૯ ના દર્દીઓની સંખ્યામાં છેલ્લા ત્રણ દિવસમાં વધારો નોંધાયો છે.ભારતમાં ગઈ કાલે કુલ ૨૨, ૭૭૧ કેસો નોંધાયા છે. ગઈ કાલે મહારાષ્ટ્રમાં ૬૩૬૪,તમિલનાડુમાં ૪૩૨૯, દિલ્હીમાં ૨૫૨૦, તેલંગાણામાં ૧૮૯૨ કર્ણાટકમાં ૧૬૯૪ ઉત્તર પ્રદેશમાં ૯૭૨ અને આંધ્રપ્રદેશમાં ૮૩૭ કેસ નોંધાયા હતા. ગુજરાતમાં આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કુલ ૭૧૨ નવા કેસો નોંધાયા છે.
આજ રોજ ૪૭૩ દર્દીઓ સાજા થઈને ઘરે ગયેલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૪,૦૪,૩૫૪ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૨,૬૦,૬૧૪ વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે જે પૈકી ૨,૫૭,૫૨૨ વ્યક્તિઓ હૉમ ક્વોરેન્ટાઈન છે
અને ૩,૦૯૨ વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
આજે રાજ્યમાં કુલ વેન્ટીલેટર પર ૬૮ દર્દીઓ અને ૭૯૮૯ દર્દીઓ સ્ટેબલ છે.