અમદાવાદમાં બે ફ્લાય ઓવરનો ઇ લોકાર્પણ ૩૦મી નવેમ્બર સવારે ૧૦-૩૦ કલાકે થશે
સોમવારે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી ના હસ્તે અમદાવાદમાં બે ફ્લાય ઓવરનો ઇ લોકાર્પણ મુખ્યમંત્રી શ્રી , નાયબ મુખ્યમંત્રીશ્રી ઉપસ્થિત રહેશે
સિંધુ ભવન ચાર રસ્તા ફ્લાય ઓવર રૂ. ૩૫ કરોડ – સાણંદ જંકસન ફ્લાય ઓવર રૂ. ૩૬ કરોડનું ઇ લોકાર્પણ થશે
અમદાવાદ, ૨૯ નવેમ્બર: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહ ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તથા ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના સહયોગ થી અમદાવાદમાં નિર્માણ પામેલા રૂ. ૭૧ કરોડના બે ફ્લાય ઓવરનું ૩૦મી નવેમ્બર સોમવારે સવારે ૧૦-૩૦ કલાકે ઇ-લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્ય મંત્રી શ્રી નિતિનભાઇ પટેલ આ અવસરે ઉપસ્થિત રહેશે. નેશનલ હાઇવે ૧૪૭ પર સરખેજ – ગાંધીનગર – ચિલોડા ના કુલ ૪૪ કિ.મી.ના માર્ગને ૪ લેન માંથી ૬ લેનમા રૂપાંતરિત કરવાના તથા આ માર્ગ પર આવતા ચાર રસ્તાઓ પર અગિયાર જેટલા ફ્લાય ઓવર બનાવવાની કામ ગીરી કેન્દ્ર અને રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.
તદનુસાર ૨૪૫ મીટરનો સિંઘુભવન ચાર રસ્તા ફ્લાય ઓવર રૂ. ૩૫ કરોડના ખર્ચે નિર્માણ પામ્યો છે તેમજ સાણંદ જંકસન ફ્લાય ઓવર બ્રિજ પણ ૨૮ મીટરની લંબાઇ સાથે રૂ. ૩૬ કરોડના ખર્ચે પૂર્ણ થયો છે. આ બંને ફ્લાય ઓવરના લોકાર્પણ આવતી કાલે સોમવારે સવારે ૧૦-૩૦ કલાકે સિંધુભવન ચાર રસ્તા પાસે યોજાશે. આ પ્રસંગે મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલ , ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા, સાસંદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.