નર્મદા જિલ્લા ના 121 ગામો માંથી ઇકો સેન્સેટિવ ઝોન (Eco Sensitive Zone) હટાવવા સંસદ સભ્યની રજુઆત
ઇકો ઝોન (Eco Sensitive Zone) એ કેન્દ્ર સરકાર નો પ્રસન્ન છે અને તે રદ્દ કરવા ચૂંટણી પછી રજુઆત કરીશુ જેમાં ગુજરાત સરકાર પણ મદદ કરશે: મનસુખ વસાવા
અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા
રાજપીપલા, ૦૬ ફેબ્રુઆરી: નર્મદા જિલ્લા ના વડા મથક રાજપીપલા માં આજે સંસદ સભ્ય મનસુખ વસાવા નો જાહેર સન્માન કાર્યક્રમ યોજાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ સાચાબોલા અને આખાબોલા એવા સાંસદ મનસુખ વસાવા કે જેઓ આદિવાસીઓ ના પ્રશ્નો અને સમસ્યા માટે પોતાની સરકસર સામે અવાઝ. ઉઠાવે છે તેમણે તાજેતર માં જિલ્લામાં 121 ગામો માં ઇકો સેન્સેટિવ ઝોન (Eco Sensitive Zone) દાખલ કરાતા અને ખેડૂતો ના ખાતા માં 135 ડી ની નોંધ નાખતા આ મામલે સરકાર સામે અવાઝ ઉઠાવી નોંધ રદ કરવા રજૂઆત કરી હતી
અને સંસદસભ્ય પદે થી રાજીનામુ અપાતા સરકારે 135 ની નોંધ તાત્કાલિક અસર થી રદ કરી હતી ત્યારે ઇકો સેન્સિટિવ ઝોન (Eco Sensitive Zone) પણ રદ્દ કરવા લોકસભા માં પણ ગત સપ્તાહે મનસુખવસાવા એ આ મામલે રજુઆત કરી હતી ત્યારે આ ગંભીર મામલે સાંસદ ની કામગીરી ને બિરદાવવા જિલ્લા ના પાંચેય તાલુકા ના સરપંચો તરફ થી મનસુખ વસવસા નું જાહેર સન્માન રાખવા માં આવ્યું હતું આપસેંગે મનસુખ વસાવા એ જણાવ્યું હતું કે જુના દાખલ બતાવી. કેટલાક લોકો આદિવાસીઓ ને ભરમાવે છે
ત્યારે જંગલ ના કાળા કાયદા વચ્ચે પણ ભાજપ. સરકારે આદિવાસીઓ નો વિકાસ કર્યો છે ઇકો ઝોન એ (Eco Sensitive Zone) કેન્દ્ર સરકાર નો પ્રસન્ન છે અને તે રદ્દ કરવા ચૂંટણી પછી રજુઆત કરીશુ જેમાં ગુજરાત સરકાર પણ મદદ કરશે. વધુ માં જણાવ્યું હતું કે પદ અને સત્તા એ. સંપત્તિ ભેગી કરવા નહિ પરંતુ. પ્રજાસેવા અને રાષ્ટ્ર નિર્માણ માટે છે. નોંધનીય છે કે
આ કાર્યક્રમ કોઈ પક્ષ કે સંસ્થા તરફ થી નહિ પણ જિલ્લા ના વિવિધ ગામ ના. સરપંચો તરફ થી યોજાયો હતો