Night Curfew:રાજ્યના ચાર મહાનગરોમાં ર૮ ફેબ્રુઆરી-ર૦૨૧ સુધી રાત્રિ કરફયુ અમલમાં રહેશે
રાજ્યના ચાર મહાનગરોમાં ર૮ ફેબ્રુઆરી-ર૦૨૧ સુધી રાત્રિ કરફયુ (Night Curfew) અમલમાં રહેશે
રાત્રિ કરફયુનો (Night Curfew) સમય રાત્રે ૧૨ થી સવારે ૬ વાગ્યા સુધી રાખવામાં આવ્યો
ગાંધીનગર, ૧૫ ફેબ્રુઆરી: ગૃહ વિભાગ ના અધિક મુખ્ય સચિવશ્રી પંકજ કુમારે જણાવ્યું છે કે રાજ્યના ૪ મહાનગરોમાં તા. ર૮ ફેબ્રુઆરી સુધી રાત્રે ૧ર થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયુ (Night Curfew) અમલમાં રહેશે.
શ્રી પંકજકુમારે આ સંદર્ભમાં વધુ વિગતો આપતાં જણાવ્યું કે, કોરોના સંક્રમણ નિયંત્રણ તકેદારી રૂપે રાજ્યમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એમ ચાર મહાનગરોમાં મંગળવાર તા.૧૬ ફેબ્રુઆરીથી તા.ર૮ ફેબ્રુઆરી સુધી આ રાત્રિ કરફયુ (Night Curfew) વ્યવસ્થા અંતર્ગત રાત્રે ૧ર થી સવારે ૬ વાગ્યા સુધી કરફયુ અમલી રહેશે.