રાજ્યમાં આજે કોવિડ-૧૯ ના ૯૫૪ નવા દર્દીઓ નોંધાયા. ૧૧૯૭ દર્દીઓ સાજા થઈને ઘરે ગયા
- રાજ્યમાં આજે કોવિડ-૧૯ ના ૯૫૪ નવા દર્દીઓ નોંધાયા. ૧૧૯૭ દર્દીઓ સાજા થઈને પોતાના ઘરે ગયા
- આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીના પરિણામે રાજયમાં સાજા થવાનો દર ૯૦.૭૮ ટકા
- અત્યાર સુધીમાં રાજયભરમાં થી કુલ ૧,૫૯,૪૪૮ દર્દીઓએ કોરોનાને આપી મ્હાત
- રાજયમાં આજે પ૨,૭૩૯ ડોરોનાના ટેસ્ટ ડજાયા: અત્યાર સુધીમાં
ગાંધીનગર, ૦૩ નવેમ્બર: રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજય સ૨કા૨ના સઘન પ્રયાસોના પરિણામે કોરોના વાયરસના રાંકમણનું પ્રમાણ ઘીમે ઘીમે ઘટી રહ્યું છે. આજે રાજયના વિવિધ જિલ્લાઓ માં કુલ ૯૫૪ કેસ નોંધાયા છે. સાથે આજે ૧૧૯૭ દર્દીઓ એ કોરોનાને મ્હાત આપી સાજા થઈને પોતાના ઘરે ગયા છે,
અત્યાર સુધીમાં રાજયના કુલ ૧,૫૯,૪૪૮ દર્દીઓ સાજા થયા છે. રાજયનો સાજા થવાનો દ૨ ૯૯.૭૮ છે. એ જ રીતે કોરોના ટેરટીંગ ની ક્ષમતા પણ વધારવામાં આવી. રહી છે. આજે રાજ્યમાં કુલ ૫૨,૭૩૯ ટેસ્ટ કરવામાં આવ્યા છે રાજ્યની વરતીને ધ્યાને લેતા પ્રતિદિન ૮૧૧.૩૭ ટેરટ પ્રતિ મિલિયન જેટલા થવા પામે છે. રાજયમાં અત્યાર સુધીમાં કુલ ૬૨,૧૦,૫૫૦ ટેરટ કરવામાં આવ્યા છે.
૨ાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૫,૦૫,૯૦૩ વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન ક૨વામાં આવ્યા છે જે પૈકી ૫,૦૫,૯૭૬ વ્યકિતઓ હોમ ક્વોરન્ટાઈન છે અને ૧૦૭ વ્યક્તિઓ ને ફેસીલીટી ક્વૉરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.