forest lepord

ખુશી ખબર: (Good news)લોકડાઉન અને મહામારીને લીધે માનવ દખલ ઘટતાં અભયારણ્યોમાં વન્ય પ્રાણીઓની વસ્તી વધી

Good news: વડોદરા વન્ય પ્રાણી વર્તુળ દ્વારા દર વર્ષે રતન મહાલ અને જાંબુઘોડા અભયારણ્યોની ત્રણ રેન્જમાં વન્ય પ્રાણી ગણના કરવામાં આવે છે

અહેવાલ: બી.પી.દેસાઈ
વડોદરા: ૧૬ જૂન:
Good news: કોરોના મહામારી ની આમ તો ખૂબ વિપરીત અસર થઈ છે.પરંતુ કાળા વાદળની સોનેરી કોરની જેમ એક ખુશી ખબર મળ્યા છે. વન્ય જીવ વર્તુળ, વડોદરા હેઠળના જાંબુઘોડા અને રતન મહાલ અભયારણ્યોની ત્રણ રેન્જમાં ઝરખ, શિયાળ,જંગલી બિલાડી,જંગલી ભૂંડ, સસલા, ચોસિંગા, નિલગાય જેવા વન્ય પ્રાણીઓની સંખ્યામાં કોરોના કાળમાં થયેલી વન્ય પ્રાણી ગણનામાં વધારો થયેલો જણાયો છે.તેમાં પણ સ્ત્રાઇપડ હાયના એટલે કે પટ્ટા વાળા ઝરખની સંખ્યામાં સતત બીજા વર્ષે સારો એવો વધારો નોંધાયો એ ખૂબ આશાસ્પદ ઘટના ગણાય કારણ કે મૃત પ્રાણી ભક્ષી આ વન્ય જીવ છેલ્લાં ઘણાં સમયથી જોખમ હેઠળની શ્રેણીમાં આવી ગયું છે.

Good news: જ્યારે જંગલમાં માનવની દખલ ઘટે ત્યારે વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિને સારો ફાયદો થાય એવી સૂચક ટકોર કરતાં નાયબ વન સંરક્ષક બળદેવસિંહ વાઘેલાએ જણાવ્યું કે ૨૦૧૯ ની વન્ય પ્રાણી ગણતરીમાં ૭૭ ઝરખ આ વિસ્તારમાં જણાયા હતાં જે ૨૦ માં વધીને ૮૭ અને ૨૦૨૧ માં ૧૨૩ થયાં છે.આ એક ખૂબ આશાસ્પદ વધારો છે. ૨૦૨૦ ના લોક ડાઉન અને હાલના આંશિક લોક ડાઉનમાં માનવ અવર જવર ઘટતાં આ ફાયદો થયો છે.આ ઉપરાંત શિકાર ની પ્રવૃત્તિ અટકાવવા લેવામાં આવેલા પગલાંની પણ સારી અસર પડી છે.જો કે દીપડા અને રીંછની સંખ્યામાં નોંધપાત્ર વધઘટ જણાઈ નથી.

Whatsapp Join Banner Guj

વન્ય પ્રાણી વિભાગો દ્વારા તેમની ફરજના ભાગરૂપે અને વન્ય પ્રાણીઓની વધુ બહેતર સારસંભાળનું આયોજન કરી શકાય તે માટે દર વર્ષે રક્ષિત અભ્યારણ વિસ્તારોમાં વન્ય પ્રાણીઓની ગણતરી કરવામાં આવે છે. (Good news) જ્યારે રાજ્યના ચીફ વાઈલ્ડ લાઇફ વોર્ડન દ્વારા દર ત્રણ વર્ષે રાજ્યના સમગ્ર વન વિસ્તારમાં વાઈલ્ડ લાઇફ સેન્સસ હાથ ધરવામાં આવે છે. દીપડા અને ઝરખ વચ્ચે જો લડાઇ થાય તો વધુ આક્રમકતા અને વધુ મજબૂત જડબા ધરાવતા ઝરખ સામે દીપડાએ ભાગવું પડે એવી રસપ્રદ જાણકારી આપતાં બળદેવસિંહ વાઘેલા એ જણાવ્યું કે દેશના વિવિધ રાજ્યો અને વન વિસ્તારોમાં ઝરખને સ્થાનિક લોકો જુદાં જુદાં નામે ઓળખે છે.

કોરોના સામેના જંગમાં સિવિલ કેમ્પસને ‘ઈન્ફેક્શન ફ્રી’ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરતાં: ડો. ગીતા વાઘેલા

એના પાછળના પગ રાંટા પડતાં હોવાથી એની ચાલ વિચિત્ર દેખાય છે પરંતુ આ પ્રાણી ખૂબ તીવ્ર ગતિ થી દોડી શકે છે.તેના મજબૂત જડબાથી તે ગમે તેવા જાડા અને મજબૂત હાડકાને ચાવી શકે છે.ઝરખ ક્યારેક જાતે શિકાર કરે છે પરંતુ તે બહુધા અન્ય પ્રાણીઓ દ્વારા કરવામાં આવેલા શિકારના મૃત મડદા ખાય છે. ગામલોકો પાલતુ કે કૂતરા, બિલાડા જેવા પ્રાણીઓ ના મૃત શરીર ગામની ભાગોળે નાંખતા હોવાથી ગામ નજીકના વિસ્તારોમાં તેની અવર જવર જોવા મળે છે.

૨૦૨૧ ની વન્ય પ્રાણી ગણતરીમાં ઉપરોક્ત વિસ્તારોમાં ચોશિંગા અને સસલાની વસ્તી પણ વધેલી જણાઈ છે. ઝરખ શરમાળ પ્રાણી છે. એ માનવ દખલ થી ખૂબ ગભરાય છે. તેને જંગલ વચ્ચેથી અવર જવર કરતા વાહનોના ઘોંઘાટ અને હેડ લાઈટના પ્રકાશના શેરડાથી પણ ત્રાસ અનુભવાય છે. મહામારી અને લોક ડાઉનથી આ તમામ વિપરીત પરિબળોની અસર ઘટતાં નિર્દોષ વન્ય જીવો ને થયેલો (Good news) સકારાત્મક ફાયદો એક નોંધ લેવા જેવી ઘટના છે.