ગઈકાલ સુધી એસી ઇનોવા કારમાં ફરતા મેયર હસમુખભાઈ આજે તેવો મહાનગરપાલિકા કચેરીએ સાયકલ ઉપર આવ્યા હતા

અહેવાલ: જગત રાવલ
જામનગર: ૧૪ ડિસેમ્બર: રાજ્યની 6 મહાનગરપાલિકા ની ચૂંટાયેલા હોદ્દેદારો ની ટર્મ ગઈકાલે પૂર્ણ થઈ ગઈ છે ત્યારે મહાનગરપાલિકા ના પદાધિકારીઓ એ સરકાર તરફ થી તેમને મળેલા વાહનો પરત કરવાના હોય છે,
જામનગરના મેયર હસમુખભાઈ જેઠવા એ તેમની મેયરકાર નિયમ મુજબ જમા કરાવ્યા બાદ આજે તેવો મહાનગરપાલિકા કચેરીએ સાયકલ ઉપર આવ્યા હતા,
ગઈકાલ સુધી એસી ઇનોવા કારમાં ફરતા મેયર હસમુખભાઈ એ ખેલદિલી પૂર્વક લોકશાહી ની આ પ્રણાલી ને સ્વીકારી હતી.