ખેડૂતોના સમર્થનમાં પરેશ ધાનાણીનો કવિતાના માધ્યમથી સરકાર પર પ્રહાર
“”દેશને લૂંટવાના, ૧૦ પગથિયા””
પહેલા ખેડૂતોને ધેર બેઠા લલચાવી અને
માર્કેટયાર્ડના કાયમી ધક્કા બંધ કરાવશે,[૧]
પછી માર્કેટયાર્ડના વેપારીઓને હંફાવી અને
હરરાજીમાં ઉભતા હરિફોને ખતમ કરાશે,[૨]
પછી માર્કેટયાર્ડોને કાયમી બંધ કરી અને
મોંઘીદાટ જમીનો ખાનગીમાં વેંચાઈ જાશે,[૩]
પછી અટપટા કરારથી ખેડૂતોને છેતરવા
માટે કોર્ટના કાયમી દરવાજા બંધ કરાશે,[૪]
પછી “બિનહરીફ” રીતે ખાનગી બજારમાં
ખેતીના ઉત્પાદનોને સાવ સસ્તામાં લુંટાશે,[૫]
પછી “હોમ ડિલીવરી”ની આદત પડાવીને
નાના દુકાનદારોનાં વેપાર ચોપટ કરાવાશે,[૬]
પછી લાખો ટન અનાજની ‘સંગ્રહખોરી’થી
મુઠ્ઠીભર ખાનગી કંપનીના ગોદામ છલકાશે,[૭]
પછી ક્રૃતિમ અછતથી ગ્રાહકોને ટટળાવી
અને વેંચાણમા “ઈજારાશાહી” સ્થપાશે,[૮]
પછી કાળા બજારીયાઓ બેફામ બનીને
મજબૂર ગરીબોને મોંઘો માલ પધરાવશે,[૯]
પછી મોંઘવારીની મોકાણે ‘માણસ’ પિસીને
માત્ર મુઠ્ઠીભર મુડિપતીઓ માલામાલ થાશે.[૧૦]
હવે જો લડાઈ લડશે કિસાન,
તો જ જીવશે હિન્દુસ્તાન…!