અંબાજી ખાતે આજે ગાંધીજયંતી નિમિત્તે સ્વયં સફાઈ કરી અને સ્વચ્છતા રાખવા લોકો સુધી સંદેશો પહોચાડ્યો
અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી
અંબાજી, ૦૨ ઓક્ટોબર: આજે 2 ઓક્ટોબર ગાંધી જયંતી એટલે સ્વચ્છતા દિવસ તરીકે પણ ઓળખાતો હોય છે ત્યારે આજરોજ યાત્રાધામ અંબાજી ખાતે ઓલ સર્વિસ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ સફાઈ કંપની જેને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રાધામ અંબાજી ખાતે સફાઈ કામગીરી કરે છે ત્યારે આ સફાઈ કંપનીના મેનેજર અને સુપરવાઇઝરો એ આજ ગાંધીજયંતી નિમિત્તે સ્વયં સફાઈ કરી અને સ્વચ્છતા રાખવા લોકો સુધી સંદેશો પહોચાડવા માં આવ્યો હતો કર્મચારીઓ તથા સફાઈકામદારો એ શક્તિદ્વાર થી લઈ ડી.કે સર્કલ સુધી સફાઈ કરી ગાંધી બાપુ ના સ્વપ્નને સાકાર કરવા
તેમજ આપણું ભારત સ્વચ્છ ભારત ત્યારે આપ સૌએ ગાંધી બાપુ ના સપના ને પૂરું કરવા સ્વચ્છ ભારત અભિયાનમાં જોડાઈ અને આપણું ગામ સ્વચ્છ રાખવાના પ્રયત્ન કરવા જોઈએ આપણું ગામ સ્વચ્છ રહેશે તો આપણે કોઈ બીમારીના શિકાર નહીં બને એ રીતે સૌએ સ્વચ્છતા અભિયાન માં જોડાવવા અપીલ કરાઈ આ સફાઈ અભિયાનમાં અંબાજી ઓલ સર્વિસ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ સફાઈ કંપનીના મેનેજર અલ્પેશ ગોહિલ અને વિક્રમ સી સરગરા સહિત તમામ સુપરવાઇઝરો જોડાયા હતા અને 2 ઓક્ટોબરે ગાંધી જયંતી અને સ્વચ્છતા દિવસ નિમિત્તે સફાઈ અભિયાન કાર્યક્રમ નું આયોજન કરાયું હતું..