WR Rajkot Swachchhata

‘સ્વચ્છ ભારત-સ્વચ્છ રેલ’ અભિયાન અંતર્ગત રાજકોટ રેલવે ડિવિજન માં સ્વચ્છતા પખવાડિયા નું આયોજન

WR Rajkot Swachchhata

રાજકોટ ડિવિઝન પર “સ્વચ્છતા પખવાડા” દરમ્યાન 240 કિલો પ્લાસ્ટિક કચરો સહિત કુલ 19345 કિલો કચરો સાફ કરવામાં આવ્યો હતો

અમદાવાદ, ૩૦ સપ્ટેમ્બર: ‘સ્વચ્છ ભારત-સ્વચ્છ રેલ’ અભિયાન અંતર્ગત રાજકોટ રેલવે ડિવિજન માં 16 સપ્ટેમ્બર થી 30 સપ્ટેમ્બર, 2020 સુધી સ્વચ્છતા પખવાડિયા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન 2 ઓક્ટોબર, 2020 ના રોજ મહાત્મા ગાંધીની 151 મી જન્મજયંતિ નિમિત્તે સમાપ્ત થશે.

વધુ માહિતી આપતાં રાજકોટ ડિવિજન ના ડીઆરએમ શ્રી પરમેશ્વર ફુંકવાલે માહિતી આપી હતી કે પખવાડિયા અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી. દરેક દિવસ માટે એક અલગ થીમ આપવામાં આવી હતી. સ્વચ્છતા જાગરૂકતા, ક્લીન સ્ટેશન, ક્લીન ટ્રેન, ક્લીન ટ્રેક, ક્લીન કેમ્પસ, ક્લીન ડેપો, ક્લીન રેલ્વે કોલોની / હોસ્પિટલ, સ્વચ્છ ટોઇલેટ, શુધ્ધ પાણી, સ્વચ્છ કેન્ટીન, સ્વસ્થ નીર, સાફ ટોઇલેટ્રીઝ, નો પ્લાસ્ટિક ડે, સ્વચ્છતા કોમ્પિટિશન જેવા થીમ્સ ઉપર સ્વચ્છતા અભિયાન શરૂ કરાયું હતું.

loading…


પખવાડિયા દરમિયાન સ્ટેશનોની સ્વચ્છતા અને સેનિટાઇજેશન ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. રાજકોટ રેલ્વે હોસ્પિટલ માં લોકડાઉન દરમિયાન આશરે 2000 લિટર સેનિટાઈઝરનું ઉત્પાદન કરવામાં આવતું હતું. રેલ કર્મચારિયો અને તેમના પરિવારો ને 12042 માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. રેલવે દ્વારા આ પખવાડિયા દરમિયાન સ્ટેશન પર થૂંકી ને સ્ટેશન પર ગંદગી ફેલાવવા માટે 4 મુસાફરો પાસેથી રૂ 800 / – નો દંડ વસૂલવામાં આવ્યો હતો. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે જાગરુકતા ફેલાવવા માં આવી હતી.


‘સ્વચ્છતા અને પ્લાસ્ટિક પ્રદૂષણ ની રોકધામ’ વિષય પર રેલ્વે કર્મચારીઓનાં બાળકો માટે ઓનલાઇન ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મંડળના 51 સ્ટેશનો પર એક વ્યાપક સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને લગભગ 19345 કિલો કચરો સાફ કરવામાં આવ્યો હતો, જેમાં 240 કિલો પ્લાસ્ટિકનો કચરો અને 19,105 કિલો મિશ્રિત કચરો શામેલ છે. તેમજ આજથી રાજકોટ સ્ટેશન પર બે લગેજ સ્કેનર મશીન પણ કાર્યરત થઈ ગયા છે. ટ્રેન નંબર 08402 ઓખા-પુરી સ્પેશિયલમાં રાજકોટથી 210 મુસાફરોના સામાન આ સ્કેનર ની મદદ થી ચેક કરવા માં આવ્યા હતા જે થી પ્રતિબંધિત ચીજવસ્તુઓ લઈ જવા થી રોકી શકાય.

શ્રી ફૂંકવાલે સ્વચ્છતા પખવાડિયાનો સંદેશ લોકોને સુધી પહોંચાડવા માટે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા ની ભૂમિકા ની પ્રશંસા કરી અને તેમનો આભાર માન્યો. આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી અભિનવ જેફ, ડિવિઝનલ સિક્યોરિટી કમિશનર શ્રી દિનેશસિંહ તોમર અને સહાયક કોમર્શિયલ મેનેજર (કોચિંગ) શ્રી અસલમ શેખ ઉપસ્થિત રહ્યા હતા.