પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર દ્વારા ગાંધીધામ અને ભુજ સ્ટેશનોનું નિરીક્ષણભુજ સ્ટેશનથી ઇફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ થયો
અમદાવાદ, ૦૨ ઓક્ટોબર: પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલે અમદાવાદ મંડળ પર તેમના બે દિવસીય પ્રવાસ કાર્યક્રમ દરમિયાન ગાંધીધામ અને ભુજ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું હતું. ગાંધીધામમાં તેમણે દરેકને શ્રમ દાન આપીને પખવાડિયા દરમિયાન રેલ્વે પરિસરમાં અને સ્ટેશનોમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી અને ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓને વર્ષના 100 કલાકના શ્રમદાન આપીને આસપાસનાને સ્વચ્છ રાખવા અપીલ કરી હતી.
પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંસ્થાના પ્રમુખ શ્રીમતી તનુજા કંસલે પણ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો અને ઓનલાઇન ન ચિત્ર સ્પર્ધાના વિજેતાઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કર્યા હતા. શ્રી કંસલે ગાંધીધામમાં મારવાડી યુવા મંચ દ્વારા ગાંધીધામ સ્ટેશનના બ્યુટિફિકેશન હેઠળ દિવાલો પર કોતરવામાં આવેલા પેઇન્ટિંગ્સની પ્રશંસા વ્યક્ત કરી તેમનો આભાર માન્યો હતો. તેમણે ગાંધીધામમાં વેટ પ્લાસ્ટિકની બનેલી વસ્તુઓ પણ જોઇ અને આ પ્રયોગને પ્રશંસનીય પગલું ગણાવ્યું. ગાંધીધામ સ્ટેશન પર વેસ્ટ પ્લાસ્ટિકની બનેલી બેંચ લગાવવામાં આવી છે. ગાંધીધામ સ્ટેશનની સ્વચ્છતા અને સુંદરતાથી પ્રભાવિત થઈને તેમણે 20000 નું રોકડ ઇનામ જાહેર કર્યું.
અમદાવાદ મંડળ પર તેમના પ્રવાસ બીજા દિવસે શ્રી કંસલે ભુજ સ્ટેશન પર માનનીય સાંસદ શ્રી વિનોદ ચાવડા અને માનદ ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્યની સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો. આ સમય દરમિયાન, માનનીય સાંસદ શ્રી ચાવડા દ્વારા ઇફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને બોટલ ક્રશિંગ મશીનનું લોકાર્પણ પણ કરાયું હતું. તેમણે દેસલપર સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી . થાત ત્યાં ચાલી રહેલા નિર્માણ કાર્ય ને ઝડપ થી વેગ આપવા સુચના આપવામાં આવી હતી.આ નિરીક્ષણ દરમિયાન વિભાગીય રેલ્વે મેનેજર શ્રી દિપકકુમાર ઝા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.