પશ્ચિમ રેલ્વે દ્વારા સમુદાયની સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે ગાંધીજીના માર્ગને અનુસરે છે
પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંસ્થા દ્વારા સમુદાયની સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે ગાંધીજીના માર્ગને અનુસરે છે
અમદાવાદ, ૨૬ ઓક્ટોબર: પશ્ચિમ રેલ્વેની મહિલા કલ્યાણ સંસ્થા સમુદાયની સ્વચ્છતાની સામાજિક વિભાવનાને પ્રોત્સાહન આપવા અને આ સંદર્ભમાં જાગૃતિ લાવવા માટે ગાંધીવાદના દર્શન અને વિચારધારાને અનુસરી રહી છે. મહાત્મા ગાંધીજી ની 151 મી જન્મજયંતિ નિમિત્તે પશ્ચિમ રેલ્વે દ્વારા સ્વછતા ના પખવાડિયુંઆયોજન કરવામાં આવ્યું હતું, જે દરમિયાન પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંસ્થાના અધ્યક્ષા શ્રીમતી તનુજા કંસલ અને તેમની આખી ટીમે શ્રમદાન પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો.આ ઉપરાંત સ્વચ્છતાના મહત્વ અંગે જાગૃતિ લાવવાના હેતુથી સંસ્થા દ્વારા વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા.
શ્રી તનુજા કન્સલે, અમદાવાદ મંડળના ગાંધીધામ અને ભુજમાં તાજેતરના પ્રવાસ કાર્યક્રમ દરમિયાન વિવિધ શ્રમદાન પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો.અને આ સ્ટેશનો ઉપર સ્વચ્છતાના ધોરણો જાળવવા બદલ સંબંધિત સફાઇ કામદારોની પ્રશંસા કરી હતી. તેમણે ગાંધીધામ સ્ટેશન પર રિસાયકલ પ્લાસ્ટિકના બનેલા બેંચો બનાવવાની ઇકો ફ્રેન્ડલી પહેલની પ્રશંસા કરી.આ પ્રસંગે શ્રીમતી તનુજા કંસલે સ્વચ્છતા પખવાડિયા દરમિયાન રેલ્વે કર્મચારીઓના બાળકો માટે આયોજીત ઓનલાઇન પેઇન્ટિંગ સ્પર્ધામાં વિજેતા જાહેર કરાયેલા બાળકોને ઈનામ આપ્યા હતા. અન્ય સહભાગીઓને પણ પ્રોત્સાહિત કર્યા.
શ્રીમતી કંસલ એ અભિયાનના વિજેતાઓને સંબોધતા જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીનું નિવેદન “સ્વચ્છતા સ્વતંત્રતા થી વધુ મહત્ત્વપૂર્ણ છે” ટાંકવામાં આવ્યું છે.તેમણે કહ્યું હતું કે, ગાંધીજી પર્યાવરણને સ્વચ્છ અને તંદુરસ્ત રાખવા માટે સૌથી મોટા અને પ્રમુખ સમર્થક હતા.તેમણે કહ્યું કે, સ્વચ્છ માનસિકતા અને વાતવરણ જીવન માટે સારો, સાચો અને પ્રામાણિક અભિગમ પ્રદાન કરે છે.હકીકતમાં આ બધાની જવાદારી છે કે આપણે માત્ર આપણા માટે જ નહીં પરંતુ અન્ય લોકો માટે પણ સ્વચ્છ અને તંદુરસ્ત વાતાવરણ ઊભું કરવામાં સક્રિય ભૂમિકા નિભાવીએ છે.સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન માત્ર અમુક સ્તરે જ મદદ કરી શકે છે, પરંતુ આપણી ફરજ છે કે આપણે આપણી આસપાસના વાતાવરણને સ્વચ્છ રાખવામાં મદદ કરીએ.
ગાંધીજીના શબ્દોનો પુનરોચ્ચાર કરતાં શ્રીમતી કંસલે કહ્યું હતું કે, આપણે આપણા રોજિંદા જીવનમાં ગાંધીજીના પગલાંને અનુસરવાની જરૂર છે. તેથી, આપણે સ્વચ્છતા ને ભાર નહિ પરંતુ, પરંતુ એક જવાબદારી તરીકે લેવી જોઈએ જેથી આપણે આપણા જીવનમાં એક ઉદાહરણ પૂરું પાડી શકીયે.’સ્વચ્છ કોલોની – મેરા હોટિનેસ’ નામની આ અનોખી સ્પર્ધામાં પ્રથમ સ્થાન અંધેરી (પૂર્વ)ની રેલવે કોલોનીએ 15,000 રૂપિયાના રોકડ પુરસ્કાર સાથે જીત્યું હતું. બોરીવલી અને વડાલાની રેલવે કોલોનીએ અનુક્રમે 12,000 અને 10,000 રૂપિયાના રોકડ પુરસ્કાર સાથે દ્વિત્ય અને તૃતીયા સ્થાન જીતા. પ્રથમ અને દ્વિતીય પ્રોત્સાહન પુરસ્કાર માટુંગા રોડ અને બાન્દ્રા (પશ્ચિમ)ની વસાહતો ને 5000 રૂપિયા પ્રત્યેકે રોકડ પુરસ્કાર સાથે જીત્યા.શ્રીમતી કંડેલે તમામ નિવાસીઓને તેમની આસપાસ સ્વચ્છતા જાળવવાનું સારું કામ ચાલુ રાખવા વિનંતી કરી હતી.
પ્રદીપ શર્મા
જનસંપર્ક અધિકારી
પશ્ચિમ રેલ્વે, અમદાવાદ
*****