WR ahmedabad ayurved scaled

અમદાવાદ મંડળ દ્વારા કોરોના વાયરસના ચેપથી બચાવવા માટેરેલ્વે કર્મચારીઓને આયુર્વેદિક દવાઓનું વિતરણ

WR ahmedabad ayurved edited scaled

અમદાવાદ,૨૯ ઓક્ટોબર: અમદાવાદ મંડળ દ્વારા કોરોના વાયરસના ચેપથી બચાવવા માટેરેલ્વે કર્મચારીઓને આયુર્વેદિક દવાઓનું વિતરણ પશ્ચિમ રેલ્વે દ્વારા કોરોના વાયરસ (કોવિડ -19) ના ચેપને રોકવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

WR ahmedabad ayurved 2 edited scaled

મંડળ રેલ પ્રબંધક શ્રી દિપકકુમાર ઝા એ માહિતી આપી હતી કે, મંડળનાં કાર્યરત ડોકટરોની સલાહ લીધા પછી ભારત સરકારના આયુષ મંત્રાલયે જારી કરેલી સૂચના મુજબ કોરોના વાયરસ ચેપ સામે કર્મચારીઓની પ્રતિ રક્ષા વધારવા માટે ડીઆરએમ બેનેવોલેટ ફંડ દ્વારા આયુર્વેદિક (સુદર્શનનો ઉકાળો અને સંશમની વટી) દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી શ્રી સુનિલવિશ્નોઇ અને વેલફેયર ટીમના સહયોગથી મંડળનાં 17000 રેલ્વે કર્મચારીઓને સુદર્શનનો ઉકાળો અને સંશમની વટી આપવામાં આવી હતી.

પ્રદીપ શર્મા
જનસંપર્ક અધિકારી
પશ્ચિમ રેલ્વે, અમદાવાદ

*****

આ પણ વાંચો: આત્મનિર્ભર: દિવ્યાંગ સંજયભાઈ માહ્યાવંશી શારીરિક ક્ષતિને ઓળંગી સ્વનિર્ભર બન્યા

આ પણ વાંચો: વીજ ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ ૧૯ પૈસાનો ઘટાડો