Mansukh vasava thumbnail

આદિવાસીઓ હિન્દૂ જ છે વર્ષોથી પેટ જ્ઞાતી હિન્દૂ લખાવે છે અલગ કરનારા તત્વો સામે સાવધ રહેવા: મનસુખ વસાવા

આદિવાસીઓ હિન્દૂ જ છે વર્ષોથી પેટ જ્ઞાતી હિન્દૂ લખાવે છે. રાષ્ટ્રીય પ્રવાહ થી આદિવાસીઓ ને અલગ કરનારા તત્વો સામે સાવધ રહેવા સાંસદ મનસુખ વસાવા ની અપીલ.

અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા

રાજપીપલા, ૨૧ નવેમ્બર: ભરૂચ સાંસદ મનસુખ વસાવા એ ફરી એક વાર આદિવાસીઓ હિન્દૂ હોવા નો પુનરોચ્ચાર કરી આદિવાસીઓ ને સાવધ રહેવા. અપીલ કરી છે પ્રાપ્ત માહિતી મુજબ અત્રે યોજાયેલ એક જાહેર કાર્ય ક્રમ માં સાંસદ મનસુખ વસાવા એ આદિવાસીઓ હિન્દૂ હોવાની વાત પર ભાર મૂકી આદિવાસીઓ ને રાષ્ટ્રીય પ્રવાહ થી અલગ કરનારા તત્વો થી સાવધ રહેવા અપીલ કરી હતી તેમના વક્તવ્ય માં સાંસદે જણાવ્યું હતું કે આદિવાસીઓ પરાપૂર્વ થી હિન્દૂ છે અને હિન્દૂ દેવી દેવતા ની પૂજા કરે છે ત્રેતા યુગ માં માતા શબરી ની રામ ભક્તિ અને દ્વાપર યુગ માં રૈદાસ મહારાજે કૃષ્ણ ભક્તિ ના. ભજનો માં વ્યક્ત કરી હતી. અમારી પેઢીઓ માં પણ અને હું જાતે પણ મહાદેવ ની પૂજા કરુંછું પણ કેટલાક તત્વો આદિવાસીઓ ને રાષ્ટ્રીય પ્રવાહ થી અલગ કરવા આદિવાસીઓ હિન્દૂ નથી ની ઝુંબેશ ચલાવે છે.

whatsapp banner 1

માત્ર ગુજરાત નહિ મહારાષ્ટ્ર મ પ્ર અને ઝારખંડ સુધી આ ઝુંબેશ ચાલી રહી છે અને આદિવાસી ઓ ને પેટા જ્ઞાતી ટ્રાઇબલ લખવા પ્રચાર કરે છે એમ જણાવી આદિવાસીઓ ને વસ્તી ગણતરી મા પેટા જ્ઞાતિ હિન્દૂ ભીલ. હિન્દૂ આદિવાસી લખવા જણાવી સાંસદે આર એસ એસ વડા મોહન ભાગવત ની વાત નું સમર્થન કરી આદિવાસીઓને રાષ્ટ્રીય પ્રવાહ થી અલગ કરનારા તત્વો સામે સાવધ રહેવા અપીલ કરી હતી.

Advertisement