જામનગરમાં ચાલુ બસે શુ થયું જાણો…
રિપોર્ટ:જગત રાવલ
જામનગરમાં આજે ફિલ્મી ઢબે એસ.ટી.ની બસમાં મુસાફરી દરમ્યાન હત્યાની ઘટના સામે આવી છે. જામનગર થી જુનાગઢ જઈ રહેલી બસમાં વિજરખી નજીક બસમાં સવાર મુસાફરો વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થતાં એક મુસાફરે અન્ય એક મુસાફરને છરીના ઘા ઝીકી દેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.
મૃતક કાલાવડનો હિતેશ પંડ્યા ઉ.વ.40 નામનો યુવાન હોવાનું બહાર આવ્યું છે. માથાકૂટ અને હત્યાનું કોઈ કારણ જાણી શકાયું નથી. વિગતો મેળવાઈ રહી છે.