Bharat Pandya BJP

રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘો અને સમગ્ર શિક્ષક આલમે રાજ્ય સરકારમાં વ્યક્ત કરેલ વિશ્વાસ માટે આભાર – શ્રી ભરત પંડ્યા

રાજ્યના પ્રાથમિક શિક્ષકોને સ્પર્શતા ઉચ્ચતર પગાર ધોરણ સંદર્ભે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના સમસ્યાના સમાધાન હેતુસર હકારાત્મક અભિગમ માટે અભિનંદન પાઠવતા ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા.

Bharat Pandya BJP

રાજ્યના ૬૫ હજારથી વધુ પ્રાથમિક શિક્ષકોને સ્પર્શતા આ પ્રશ્નના ઉકેલ માટે મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી અને શિક્ષણ મંત્રીશ્રીઓએ દાખવેલ તત્પરતા અને લીધેલ લાગણીસભર નિર્ણય ભાજપા સરકાર અને સંગઠનના પ્રજાલક્ષી અભિગમ તેમજ ‘ સતા એ સેવાનું માધ્યમ ‘ ના વિચારોનું પ્રતિબિંબ છે. – શ્રી ભરત પંડ્યા

રાજ્યની ભાજપા સરકારે હંમેશા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વડપણ હેઠળ નાગરિકોની સુખાકારી અને કલ્યાણકારી નીતિને જ પ્રાધાન્ય આપ્યું છે,સાથે-સાથે મુખ્યમંત્રીશ્રીએ લોકલાગણી અને લોકમાંગણીને પ્રાથમિકતા આપી સંવેદના સાથે સતત મજબૂત નિર્ણયો લીધા છે.- શ્રી ભરત પંડ્યા

ભાજપા પ્રદેશ પ્રવકતા શ્રી ભરત પંડ્યાએ રાજ્યના પ્રાથમિક શિક્ષકોના સંદર્ભમાં ૨૫ જુન ૨૦૧૯ના પરિપત્રનો અમલ સ્થગિત રાખવાના રાજ્ય સરકારના નિર્ણયને આવકારી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી,નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ તેમજ શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને શ્રી વિભાવરીબેન દવે ને આભાર સહ અભિનંદન પાઠવ્યા હતા.
શ્રી પંડ્યાએ રાજ્ય સરકારના આ નિર્ણયને આવકારતા જણાવ્યું હતું કે રાજ્યના સમગ્ર શિક્ષક આલમને સ્પર્શતા ઉચ્ચ્તર પગાર ધોરણ સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોના વિશાળ હિતમાં લેવાયેલ આ સંવેદનાસભર નિર્ણય, સરકારની હકારાત્મક નીતિ અને નાગરિકોની સમસ્યાઓના નિરાકરણ માટેની તત્પરતાની પ્રતીતિ કરાવે છે.
શ્રી પંડ્યાએ જણાવ્યું હતું કે રાજ્યની ભાજપા સરકારે હંમેશા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વડપણ હેઠળ નાગરિકોની સુખાકારી અને કલ્યાણકારી નીતિને જ પ્રાધાન્ય આપ્યું છે સાથે-સાથે મુખ્યમંત્રીશ્રીએ લોકલાગણી અને લોકમાંગણીને પ્રાથમિકતા આપી સંવેદના સાથે સતત મજબૂત નિર્ણયો લીધા છે. જેના લીધે તમામ બાબતોમાં વિવાદ નહીં પરંતુ સંવાદનો હકારાત્મક અભિગમ સરકારે અપનાવ્યો છે.
શ્રી પંડ્યા ઉમેર્યું હતું કે રાજ્યની ભાજપ સરકાર દ્વારા તમામ સંવર્ગના કર્મચારીઓ હિત જળવાય તેની ખેવના હંમેશા કરી જ અને કર્મચારીઓના તમામ પ્રશ્નો નું સુખદ અને કર્મચારીઓના હિતમાં નિરાકરણ આવે તે માટે હંમેશા તત્પરતા દાખવી છે. રાજ્યના ૬૫ હજારથી વધુ પ્રાથમિક શિક્ષકોને સ્પર્શતા આ પ્રશ્નના ઉકેલ માટે મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી અને શિક્ષણ મંત્રીશ્રીઓએ દાખવેલ તત્પરતા અને લીધેલ લાગણીસભર નિર્ણય ભાજપા સરકાર અને સંગઠનના પ્રજાલક્ષી અભિગમ તેમજ ‘ સતા એ સેવાનું માધ્યમ ‘ ના વિચારોનું પ્રતિબિંબ છે. રાજ્યના શિક્ષક સમુદાયને આ મૂદે વ્યકિતગત કે સામૂહિક દ્રષ્ટિથી શિક્ષકને કોઇપણ સંવર્ગમાં આર્થિક નુકશાન ન થાય તેનું ધ્યાન રાખવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની સરકાર સંકલ્પબદ્ધ છે.
અંતમાં શ્રી પંડ્યાએ રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘો અને સમગ્ર શિક્ષક આલમે રાજ્ય સરકારમાં વ્યક્ત કરેલ વિશ્વાસ માટે આભાર અને તેઓની સમસ્યા થયેલ સમાધાન માટે અભિનંદન પાઠવ્યા હતા.