Jamnagar light

રામ મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમને લઇને છોટી કાશી જામનગરમાં શણગાર કરાયો

Jamnagar light 3

શહેરના પંચેશ્વર ટાવર ને પણ ઝડપથી રોશનીથી ઝગમગતો કરાયો

Jamnagar light

રિપોર્ટ: જગત રાવલ
જામનગર,૦૪ ઓગષ્ટ:અયોધ્યામાં ભગવાન રામ જન્મભૂમિ સ્થાન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભૂમિપૂજન નો કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો છે, અને સમગ્ર અયોધ્યા નગરી ઝળહળી ઊઠી છે, ત્યારે છોટીકાશી જામનગર શહેરમાં પણ રામ મંદિરે રોશનીનો ઝળહળાટ જોવા મળી રહ્યો છે.

Jamnagar light 2

જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં લોહાણા મહાજન વાડી જ્ઞાતિની જગ્યામાં આવેલા ભગવાન શ્રી રામચંદ્રજી ના મંદિરે રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે, અને મહાદીપની આરતી કરવામાં આવી રહી છે. સાથોસાથ રામ મંદિરની આસપાસ ના વિસ્તારને પણ શણગાર કરાઈ રહ્યો છે.

Jamnagar light 4

રામ મંદીર સામે આવેલા પંચેશ્વર ટાવર ને પણ આજે રંગબેરંગી રોશનીથી સુશોભિત કરી દેવાયો છે. જ્યારે પંચેશ્વર ટાવર વિસ્તારમાં આવેલા શહેર ભાજપના કાર્યાલયને પણ રંગબેરંગી રોશનીથી ઝળહળતું કરાયું છે, અને રંગોળી પણ કરવામાં આવી છે.

Advertisement