રાજકોટથી અમદાવાદની તમામ ST બસ બંધ કરાઈ
અમદાવાદ, ૨૦ નવેમ્બર: અમદાવાદમાં આજથી રાત્રે 9 વાગ્યા બાદ ST બસના પ્રવેશ પર પ્રતિબંધ. શહેરમાંથી રાત્રે ઉપડતી આશરે 350 જેટલી બસો બંધ કરાઈ.
- અમદાવાદમાં આજથી રાત્રે 9 વાગ્યા બાદ ST બસના પ્રવેશ પર પ્રતિબંધ
- શહેરમાંથી રાત્રે ઉપડતી આશરે 350 જેટલી બસો બંધ કરાઈ
- બહારગામથી અમદાવાદ થઈને જતી બસો બાયપાસ થઈ જઈ શકશે
રાજકોટ કલેક્ટર રેમ્યા મોહન દ્વારા જાહેરાત કરાઈ છે કે, આજે બપોરે 3 વાગ્યાથી રાજકોટથી અમદાવાદ જતી તમામ બસ બંધ કરાઈ છે. અમદાવદામાં કરફ્યૂ હોવાથી રાજકોટની અમદાવાદ ની બસોની અવરજવર બંધ કરાઈ છે. આજે બપોરે 3 વાગ્યાથી સોમવાર સુધી એસટી બસો પણ બંધ. આમ, રાજકોટ અને અમદાવાદ વચ્ચેનું અવરજવર બંધ કરાયું છે તેવું રાજકોટ તંત્ર અને એસટી વિભાગ દ્વારા નિર્ણય કરાયો છે.