જિલ્લા કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલે રક્ષાબંધન પર્વની રચનાત્મકતા સાથે ઉજવણી કરી
જિલ્લા કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલે આઈએમએના હોદ્દેદારોને રક્ષાસુત્ર બાંધી રક્ષાબંધન પર્વની પાઠવી શુભેચ્છાઓ
વડોદરા,૦૪ ઓગસ્ટ,૨૦૨૦ જિલ્લા કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલે રક્ષાબંધન પર્વની રચનાત્મકતા સાથે ઉજવણી કરી છે. શ્રીમતી અગ્રવાલે ઈન્ડિયન મેડિકલ એસોસિએસનના હોદ્દેદારોને રક્ષાસુત્ર બાંધી કોરોના માહમારીમાં તેમના મળી રહેલા સાથ-સહકાર માટે આભાર વ્યક્ત કર્યો હતો.
આઈએમએ-વડોદરાના પ્રમુખ શ્રી સંજય દવે, સેક્રટરી શ્રી તુષાર શાહ, ગુજરાત આઈએમએના સલાહકાર શ્રી ચેતન પટેલ અને ડો. શ્રી પરેશ મજુમદારને રક્ષાસુત્ર બાંધ્યુ હતુ. કોરોના વાયરસ મહામારી સામેની લડાઈમાં સરકારની સાથે ખાનગી હોસ્પિટલ અને તેમના તબીબો કેવી રીતે સહયોગી બની રહે તે અંગે કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલે વિશદ ચર્ચા કરી હતી.
ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીની જંગ ખૂબ લાંબી છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર વિવિધ મોરચે લડી રહ્યો છું ત્યારે તેમા સમાજની સાથે ખાનગી તબીબોની મદદ અને સહકાર પણ એટલો આવશ્યક રહે છે.