Alpa Patel Social Worker

બિનવારસી મૃતદેહ.. ને અગ્નિસંસ્કાર અને મહિલા શસક્તિકરણ ક્ષેત્રે સેવા નું નામ એટલે અલ્પા પટેલ……

નારી શક્તિ વંદના………

Alpa Patel Social Worker

અહેવાલ: નિખિલેશ ઉપાઘ્યાય

આણંદ, ૨૪ ઓક્ટોબર: આઝાદી મેળવવા ની લડત માં લખેલા ભીત સૂત્રો હજુ મકાનો ની દીવાલો ઉપર સાચવી રાખવા પ્રયાસ કરી રહેલુ નગર ભાદરણ ના મૂળ વતની એવા શ્રીમતી અલ્પા બેન પટેલ છેલ્લા ઘણા વર્ષો થી બિનવારસી મૃત દેહો ના અગ્નિ સંસ્કાર આપવાનું કાર્ય કરેછે તેઓએ ૩૧૧ મૃતદેહ ઓ ને અગ્નિ સંસ્કાર કર્યા છે આણંદ જિલ્લા માં મળી આવતા અજાણી વ્યક્તિ ઓ ના મૃતદેહ નો પોલીસ કાર્યવાહી બાદ અલ્પાબેન એ મૃતદેહ ને સ્વાકારી ને પુરી વિધિ અને સન્માન સાથે અંતિમ સંસ્કાર કરે છે એટલુંજ નહીં અસ્થિ વિસર્જન પણ સન્માન સાથે કરે છે.. અબધાંજ કાર્ય માં અલ્પાબેન પટેલ સાથે સહયોગ માં દાતાઓ અને અન્ય સંસ્થાઓ નો પણ સહયોગ મળી રહ્યો છે.

અલ્પા બેનપટેલ કહે છે કે ચરોતર ભૂમિ ની દીકરી હોવા થી અને સવર્ણ સમાજ સાથે જોડાયેલી હોવા છતા આ કામ નો મેં સ્વીકાર કર્યો ત્યારે શરૂઆત માં થોડા ગમા અણગમા વચ્ચે પણ મારું કામ ચાલુ રાખ્યું અને આજે મારુ કામ સર્વ પ્રિય બન્યું છે

જિલ્લા ભરની પોલીસ ,સરકારી તંત્ર, રેલવે , સહિત સૌ નો સારો સહકાર મળતા બિનવારસી મૃતદેહ નો સમય સર યોગ્ય અને સન્માન સહ અંતિમ સંસ્કાર…… મહિલાઓને સ્કિલ ડેવલોપમેન્ટની તાલીમ આપી બનાવે છે સ્વનિર્ભર

બિનવારસીઓનાં બન્યાં ‘વારસ”

અલ્પા પટેલે ૩૦૦ બિનવારસી મૃતદેહની અંતિમવિધિ કરી, ૧૫૦ રઝળતાં વ્યક્તિને આશ્રમમાં આશરો અપાવ્યોઃ ૨૫૦ નિરાધાર મહિલાને સ્વનિર્ભર બનાવી


આણંદ જિલ્લામાં જેનું કોઈ નથી, નિરાધાર છે, તેને માટે આધાર અલ્પા પટેલ અને છે. બિનવારસી મૃતદેહો હોય કે રસ્તા પર રઝળતાં નિરાધાર વ્યક્તિઓ, ત્યકતા હોય કે વિધવા મહિલાઓ, તરછૌડાયેલા અસ્થિર મગજના લોકોનો એકમાત્ર સહારો આર્થિક પછાત વર્ગના ૨૭ થી વધુ બાળકોને પોતે ભણાવે છે. હાલમાં ગ્લોબલ વોર્મિંગને ધ્યાનમાં રાખીને દરેક ગામડાઓમાં પીપળવન અભિયાન હાથ ધર્યું છે, જે અંતર્ગત પીપળવન બનાવવા ઈચ્છતા ગામને સંપૂર્ણ સહયોગ પૂરો પાડે છે. નારી રાક્તિકરણ માટેના કાર્યો શરૂ વ્યક્તિઓ સાથ આપી રહ્યા છે.” રપ૦ નિરાધાર મહિલાઓને સ્વનિર્ભર બનાવી મહિલાઓને વ્યવસાયિક તાલીમ આપીને પગભર બનાવીએ છીએ. જે મહિલાનો નિરક્ષર હોય તો પ્રથમ લખતા વાંચતાં શીખવાડીએ છીએ, ત્યાર બાદ તેમની રુચિ પ્રમાણે સિવણકામ,ભરતકામ,બ્યુટીપાર્લર, બેકરી, પેઇન્ટિંગ કેઅન્ય વ્યવસાયિક તાલીમ આપીએ છીએ,

પુસ્તકાલય ન હોય તેવા ગામમાં પુસ્તક પરબ

અલ્પા પટેલે વાંચનપ્રેમીઓ માટે પુસ્તક પરબ સારૂ કરાવી, અત્યાર સુધીમાં ૨૫૦ નિરાધાર મહિલાઓને વ્યવસાયલક્ષી તાલીમ થી સજ્જ કર્યા પુસ્તકાલયના ત્યાં નાના પાયે પુસ્તકાલય શરૂ કરીને ગ્રામજનોને વાંચન સામગ્રી પૂરી પાડે છે. હાલમાં ૧૫ ગામમાં પુસ્તક પરબ ચલાવવામાં આવે છે તેમજ આણંદ જિલ્લામાં જેલના કેદીઓને પુસ્તકો મફત આપીને જ્ઞાનદીપ ચલાવી રહ્યા છે. આ ઉપરાંત સ્લમ વિસ્તારમાં બાળકોને ભણાવવા ,રઝળતી ૧૫૦વ્યક્તિને આશરો અપાવ્યો બગોદરા પાસે મંગલ મંદિર માનવ સેવા પરિવાર દ્વારા દરેક બાબતની કાળજી રાખવામાં આવે છે. સવારના નવડાવીને સ્વચ્છ કપડાં પહેરાવવાં, રઝળતું જીવન નિરાધારોને આશ્રય પૂરો પાડ્યો સરકારી યોજનાઓના અપાવે છે લાભ.

વિવિધ સ્થળે વૃક્ષારોપણ કરવામાં આવે છે, અત્યાર સુધીમાં આણંદ જિલ્લામાં ૨,૩૫,00 જેટલાં વૃક્ષો રોપવામાં આવ્યાં છે તેમજ ગામડાઓમાં પીપળવન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.(૯૮૯૮૬૮૮૯૮૧)

********

loading…