collector Jamnagar 1

જામનગરમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ હેઠળ વર્ચ્યુઅલ પત્રકાર પરિષદ યોજાઈ

ભારતીય ચૂંટણીપંચ દ્વારા હાલ ઇ-ઇપીકની કામગીરી ચાલી રહી છે -કલેકટર રવિશંકર

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૨૨ જાન્યુઆરી:
જામનગર જિલ્લામાં આ ઝુંબેશમાં લોકો જાગૃત થઇ અને વધુમાં વધુ મતદાતા જોડાઇ, ઇ-ઇપીક સુવિધાનો લાભ લે તે માટે કલેક્ટરશ્રી રવિશંકર દ્વારા વર્ચ્યુઅલ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. ઇ-ઇપીક ઝુંબેશ અંતર્ગત કોઈપણ વ્યક્તિ પોતાના યુનિક મોબાઈલ નંબર પરથી પોતાનું ચૂંટણીકાર્ડ ફોન અથવા તો લેપટોપમાં ડાઉનલોડ કરી શકે છે અને તેને પ્રિન્ટ પણ કરી શકાશે. સાથે જ જો આ ઇ-ઇપીક કાર્ડમાં મતદાતાને કોઈ વિગતમાં સુધારો કરવાની આવશ્યકતા હોય તો તે અંગે પણ આવશ્યક ડોક્યુમેન્ટ ઉમેરી સુધારા માટેની અરજી પણ કરી શકશે.

Whatsapp Join Banner Guj

આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં કલેકટર રવિશંકરે કહ્યું હતું કે, ઇ-ઇપીક મતદારો માટે ખૂબ સુવિધાજનક છે. મતદાતા ડિજિટલ ફોર્મેટમાં પોતાના ફોનમાં પોતાનું ચુંટણીકાર્ડ સાચવી શકે છે.આ માટે voter helpline મોબાઇલ એપ અથવા તો https://voterportal.eci.gov.in/, https://nvsp.in/, પરથી ઈ-ઈપીક કાર્ડ ડાઉનલોડ કરી શકાશે. આ માટે પ્રથમ પોર્ટલ ઉપર રજીસ્ટર અથવા તો લોગીન કરી મતદાતાએ પોતાના એપિક નંબર અને સાથે જ રેફરન્સ નંબર નાખી આગળ વધવું, ત્યારબાદ મતદાતાના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર ઉપર ઓટીપી આવશે જેને વેરીફાઈ કર્યા બાદ ઇ-ઇપીક કાર્ડ ડાઉનલોડ થઇ જશે.

જો કોઈ મતદાતાના યુનિક મોબાઈલ નંબર ન હોય તો અથવા તો તે અંગે કેવાયસી ન કરાવેલ હોય તો https://kyc.eci.gov.in પરથી કેવાયસી કરાવવા કેવાયસી લીંક પર કેવાયસી કમ્પ્લીટ કરી ત્યારબાદ ફેસ લાઇવનેસ વેરિફિકેશન કર્યા બાદ પોતાનો યુનિક મોબાઈલ નંબર કેવાયસીમાં અપડેટ કરો. આ ત્રણ પગલાઓ દ્વારા જે મતદાતાઓના યુનિક મોબાઇલ નંબર કેવાયસીમાં અપડેટ થશે આ ઉપરાંત, જે મતદાતાઓ યુનિક મોબાઇલ નંબર ધરાવતા નથી તેઓ ફેશિયલ રેકોગ્નીશન દ્વારા કેવાયસી કરી મોબાઇલ નંબર ઉમેરી ઇ-ઇપીક ડાઉનલોડ કરી શકશે.
હાલ તા.૨૫ જાન્યુઆરીઅથી ૩૧ જાન્યુઆરી સુધી યુનિક નંબર ન ધરાવતા મતદારોની ઇ-ઇપીકમાં નોંધણી ચાલુ છે ત્યારબાદ ફેબ્રુઆરી માસથી દરેક મતદારો માટે આ પ્રક્રિયા ખુલ્લી મુકવામાં આવશે.

હાલ જામનગર જિલ્લામાં મતદાર યાદીમાં કુલ નવા ૨૭૭૧૮ મતદારો ઉમેરાયા છે જેમાંના ૧૭,૫૫૭ મતદારો યુનિક નંબર ધરાવતા નથી તો આ મતદારોને આ ઝુંબેશમાં ભાગ લઇ તત્કાલ ઇ-ઇપીકમાં નોંધણી કરાવવા વહીવટીતંત્ર તરફથી અનુરોધ કરવામાં આવે છે

આ પણ વાંચો…ભારતની ક્રિકેટ ટીમને તાજેતરમાં મળેલો વિજય યુવાનોને પ્રેરણાદાયક સંદેશો આપે છે: પ્રધાનમંત્રી