જામનગરમાં તૃતીય જનઔષધી (Jan aushadhi) દિવસની ઉજવણી
તૃતીય જનઔષધી દિવસની ઉજવણીમાં, જામનગરમાં જન ઔષધી (Jan aushadhi) સેવા કેન્દ્ર ખાતે
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૦૮ માર્ચ: તૃતીય જનઔષધી દિવસની ઉજવણીમાં, જામનગરમાં જન ઔષધી (Jan aushadhi) સેવા કેન્દ્ર ખાતે, સાંસદ પૂનમબેન માડમ, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલ કગથરા, પૂર્વ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, પૂર્વ મેયર પ્રતિભાબેન કનખરા અને આગેવાનઓ, કોર્પોરેટરઓ, સાથે ઉપસ્થિત રહ્યા હતા,
દરેક દર્દીને ગુણવતાયુક્ત અને સસ્તી દવા દ્વારા “સ્વસ્થ ભારત” ના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સંકલ્પ ની સિદ્ધી વધુ ને વધુ સાકાર કરવા દર્દીઓને આવા કેન્દ્રોનો લાભ લેવા આહવાન કર્યુ, અને આદરણીય પ્રધાનમંત્રીનુ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી માર્ગદર્શન મેળવ્યુ હતું.