IMG 20200822 WA0007

મુખ્ય મંત્રી નિવાસ માં પર્યાવરણ પ્રિય ગણેશ સ્થાપન નો નવતર અભિગમ

img 20200822 wa00066496874998499091800 edited

ગાંધીનગર, ૨૧ ઓગસ્ટ:મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી એ ગણેશ ચતૃથી ના પાવન પર્વ પ્રસંગે મુખ્ય મંત્રી નિવાસ માં પર્યાવરણ પ્રિય ગણેશ સ્થાપન નો નવતર અભિગમ અપનાવ્યો છે ગણેશ ચતૃથિ નો આ ઉત્સવ ગુજરાત માં ઉમંગ ઉલ્લાસ થી સૌ મનાવે છે
ખાસ કરીને વડોદરા સુરત વલસાડ વગેરે સ્થળો એ ધામ ધુમ પૂર્વક વિઘ્ન હર્તા ગણેશજી નો ઉત્સવ મોટા પાયે ઉજવાય છે.

wp 15980768864601369856873683645832

આ વર્ષે કોરોના સંક્રમણ ને કારણે સાર્વજનિક ગણેશ ઉત્સવ ને બદલે લોકો સ્વયંભૂ પોતાના ઘર માં રહીને જ આ દુંદાળા દેવ ની આરાધના પૂજા કરે તેવી મુખ્ય મંત્રીશ્રી એ સૌને અપીલ પણ કરેલી છે

મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ પણ પોતાના નિવાસસ્થાને અભિનવ વિચાર સાથે ગણેશ સ્થાપન કર્યું છે પ્લાન એ પ્લાન્ટ વિથ ગણેશ નો એક નવતર અભિગમ તેમણે આ ગણેશ સ્થાપન માં અપનાવ્યો છે આ નવતર અભિનવ વિચાર માં મુખ્ય મંત્રીશ્રી એ પૌધા માં પરમાત્મા ની ભાવના સાથે સૌને પર્યાવરણ જતન સંવર્ધન માટે મોટા પાયે વૃક્ષો વાવવા આ અવસરે આગ્રહ ભરી અપિલ પણ કરી છે

Reporter bane 1