Collector Vadodara

વડોદરામાં ૧૨મી માર્ચે ઈન્ડિયા @75 આઝાદી કા અમૃત મહોત્સવ (Amrut Mahotsav) ઉજવાશે

Amrut Mahotsav, Collector Vadodara meeting

ઉજવણીના કાર્યક્રમોના સંદર્ભે (Amrut Mahotsav) કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલની અધ્યક્ષતામાં બેઠક મળી

વડોદરા, ૦૮ માર્ચ: ૧૨મી માર્ચે ઈન્ડિયા @75 આઝાદી કા અમૃત મહોત્સવની (Amrut Mahotsav) ઉજવણી વડોદરા શહેર અને અન્ય એક જગ્યાએ કરવામાં આવશે. તેના અનુસંધાને કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલના અધ્યક્ષતામાં બેઠક મળી હતી. શ્રીમતી અગ્રવાલે બન્ને કાર્યક્રમો ગરિમામય રીતે અને સૂચારૂ રીતે સપન્ન થાય તેમજ આઝાદીના ઈતિહાસને વણી લેતા ગીત-સંગીત સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવા માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.

Whatsapp Join Banner Guj

ઈન્ડિયા @75 આઝાદી કા અમૃત મહોત્સવની (Amrut Mahotsav)ઉજવણીમાં બાઈકરેલી, વૃક્ષારોપણ, વેબિનાર સહિતના કાર્યક્રમ યોજવામા આવશે. ઉલ્લેખનીય છે કે, વડોદરા સહિત રાજ્યના ૭૫ સ્થળોએ પણ ૧૨ માર્ચે ઈન્ડિયા @૭૫ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરી, અધિક નિવાસી કલેક્ટર ડી.આર. પટેલ અને શિક્ષણ, પોલીસ, માર્ગ અને મકાન, પાણી પુરવઠા સહિતના વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો…જામનગર માં પણ ઊગી શકે છે સ્ટોબેરી (Strawberry) કાલાવડ ના યુવાને સાબીત કરી બતાવ્યું