કોરોના કેસ વધતા વધુ એક શહેરમાં લોકડાઉન (Lockdown) લાગુ. જાણો વિગત…
મહારાષ્ટ્ર: ઔરંગાબાદ જિલ્લામાં શનિ-રવિમાં સંપુર્ણ લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી છે
ઔરંગાબાદ, ૦૮ માર્ચ: સરકારે ઔરંગાબાદ જિલ્લામાં (Lockdown) ૧૧ માર્ચથી સોમથી શુક્ર આંશિક લોકડાઉન અને શનિ-રવિમાં સંપુર્ણ લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી છે
જે અંતર્ગત મોલ અને સાપ્તાહિક બજારો બંધ રખાશે. લગ્ન અને અન્ય જાહેર સમારોહને પરવાનગી અપાશે નહીં. રેસ્ટોરન્ટ રાતના ૯ કલાક સુધી જ ચાલુ રાખી શકાશે.
હાલ ઔરંગાબાદ જિલ્લામાં રાતના ૧૧થી સવારના ૬ સુધી નાઇટ કરફ્યૂ જારી છે.