જાણો… ઉદ્ધવ ઠાકરે પ્રધાનમંત્રીને સમક્ષ કેમ કીધું ભાજપના નેતાઓને ઇન્જેક્શન આપો.
મુંબઈ, ૨૫ નવેમ્બર: મહારાષ્ટ્ર મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ ફરિયાદના સુરમાં કહ્યું કે, ભાજપના નેતાઓ મહારાષ્ટ્ર માં સહકાર આપવાના બદલે કોરોના સંકટમાં બેજવાબદાર રીતે વર્તે છે તેમને પણ ‘ઈંજેક્શન’ આપો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં કોવિડ19 ને લઈ રાજ્યોના મુખ્યમંત્રીઓની એક બેઠક મળી હતી. તે સમયે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, ફરી કોરોનાની લહેર આવી રહી છે. આવી સ્થિતિમાં, અમે કેન્દ્રની સૂચનાઓ અનુસાર નિયમોનું પાલન કરી રહ્યા છીએ. એક તરફ અમે સલામત અંતરની અપીલ કરી રહ્યા છીએ, કોરોનાને રોકવા માસ્ક ન પહેરનારા પાસે દંડ વસૂલી રહયાં છીએ તેવા સમયે કેટલાક રાજકીય પક્ષો રસ્તાઓ પર ઉતરીને રાજકારણ કરી રહ્યા છે, જેને કારણે આપણા બધા પ્રયત્નો નિષ્ફળ થઈ શકે છે અને કોરોનાની લહેરને આમંત્રણ આપવા જેવું થશે. એમ પણ ઠાકરેએ કહ્યું હતું.