Rail logo

અમદાવાદ મંડલની કેટલીક સ્પેશિયલ ટ્રેનો બદલાયેલા રૂટ

Rail logo edited

ગુર્જર આંદોલનને કારણે અમદાવાદ મંડલની કેટલીક સ્પેશિયલ ટ્રેનો બદલાયેલા રૂટ પર દોડાવવામાં આવશે.


 અમદાવાદ, ૦૮ નવેમ્બર: રાજસ્થાનમાં ચાલી રહેલા ગુર્જર આંદોલનને કારણે હિન્દૌન શહેર – બયાના ખંડ વચ્ચેનો ટ્રેન ટ્રાફિક પ્રભાવિત થયો છે. આ આંદોલન અંતર્ગત પશ્ચિમ મધ્ય રેલ્વેના કોટા ડિવિઝનમાં દુમરિયા-ફતેહ સિંહપુરા ખંડ વચ્ચે રેલ્વે ટ્રેક અવરોધિત કરવામાં આવ્યા છે. તેને ધ્યાનમાં રાખીને અમદાવાદથી પ્રસ્થાન કરતી કેટલીક ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવશે.

whatsapp banner 1

જેની વિગતો નીચે મુજબ છે:

  • 08 નવેમ્બર 2020 ના રોજ પલવલથી ચાલનારી ટ્રેન નંબર 00936 પલવલ – અમદાવાદ પાર્સલ સ્પેશિયલ રેવારી – જયપુર – પાલનપુર થઈને ચાલશે.
  • 08 નવેમ્બર 2020 ના રોજ ઓખાથી ચાલનારી ટ્રેન નંબર 00949 ઓખા-ગુવાહાટી સ્પેશિયલ પાર્સલ ટ્રેન સવાઈ માધોપુર-જયપુર-બંદીકુઇ-ભરતપુર થઈને ડાયવર્ટ કરવામાં આવશે.
  • 07 નવેમ્બર 2020 ના રોજ ચાલનારી  ટ્રેન નંબર 00901, બાંદ્રા – જમ્મુત્વીથી પાર્સલ સ્પેશિયલ અંબાલા સુધી ચાલશે.
  • 09 નવેમ્બર 2020 ના રોજ ચાલનારી  ટ્રેન નંબર 00902 જમ્મુત્વી – બાન્દ્રા પાર્સલ સ્પેશિયલ અંબાલાથી દોડશે. આ ટ્રેન જમ્મુત્વી અને અંબાલા વચ્ચે રદ રહેશે.

Advertisement