અમદાવાદ મંડલની કેટલીક સ્પેશિયલ ટ્રેનો બદલાયેલા રૂટ પર દોડાવવામાં આવશે.

Train effected from Punja Kisan Andolan

ગુર્જર આંદોલનને કારણે અમદાવાદ મંડલની કેટલીક સ્પેશિયલ ટ્રેનો બદલાયેલા રૂટ પર દોડાવવામાં આવશે.     

અમદાવાદ, ૦૯ નવેમ્બર: રાજસ્થાનમાં ચાલી રહેલા ગુર્જર આંદોલનને કારણે હિન્દૌન શહેર – બયાના ખંડ વચ્ચેનો ટ્રેન ટ્રાફિક પ્રભાવિત થયો છે. આ આંદોલન અંતર્ગત પશ્ચિમ મધ્ય રેલ્વેના કોટા ડિવિઝનમાં દુમરિયા-ફતેહ સિંહપુરા ખંડ વચ્ચે રેલ્વે ટ્રેક અવરોધિત કરવામાં આવ્યા છે. તેને ધ્યાનમાં રાખીને અમદાવાદથી પ્રસ્થાન કરતી કેટલીક ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવશે.

જેની વિગતો નીચે મુજબ છે:

  • 09.11.2020 ના રોજ અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 02917, અમદાવાદ – નિઝામુદ્દીન સ્પેશિયલને બદલાયેલા રૂટ સવાઈ માધોપુર – જયપુર – રેવારી તરફથી ચલાવવામાં આવશે.
  • 09.11.2020 ના રોજ અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 09447 અમદાવાદ-પટણા સ્પેશિયલને બદલાયેલા રૂટ સવાઈ માધોપુર – જયપુર – ભરતપુર તરફથી ચલાવવામાં આવશે.
whatsapp banner 1