અમદાવાદ મંડલની કેટલીક સ્પેશિયલ ટ્રેનો બદલાયેલા રૂટ પર દોડાવવામાં આવશે.
ગુર્જર આંદોલનને કારણે અમદાવાદ મંડલની કેટલીક સ્પેશિયલ ટ્રેનો બદલાયેલા રૂટ પર દોડાવવામાં આવશે.
અમદાવાદ, ૦૯ નવેમ્બર: રાજસ્થાનમાં ચાલી રહેલા ગુર્જર આંદોલનને કારણે હિન્દૌન શહેર – બયાના ખંડ વચ્ચેનો ટ્રેન ટ્રાફિક પ્રભાવિત થયો છે. આ આંદોલન અંતર્ગત પશ્ચિમ મધ્ય રેલ્વેના કોટા ડિવિઝનમાં દુમરિયા-ફતેહ સિંહપુરા ખંડ વચ્ચે રેલ્વે ટ્રેક અવરોધિત કરવામાં આવ્યા છે. તેને ધ્યાનમાં રાખીને અમદાવાદથી પ્રસ્થાન કરતી કેટલીક ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવશે.
જેની વિગતો નીચે મુજબ છે: –
- 09.11.2020 ના રોજ અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 02917, અમદાવાદ – નિઝામુદ્દીન સ્પેશિયલને બદલાયેલા રૂટ સવાઈ માધોપુર – જયપુર – રેવારી તરફથી ચલાવવામાં આવશે.
- 09.11.2020 ના રોજ અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 09447 અમદાવાદ-પટણા સ્પેશિયલને બદલાયેલા રૂટ સવાઈ માધોપુર – જયપુર – ભરતપુર તરફથી ચલાવવામાં આવશે.