આગળની સૂચના સુધી અમદાવાદ – આગ્રા ફોર્ટ અને અમદાવાદ – ગ્વાલિયર સ્પેશિયલ અમદાવાદ સ્ટેશનથી 16.30 વાગ્યે ચાલશે.

whatsapp banner 1

અમદાવાદ, ૨૮ નવેમ્બર: કોરોનાવાયરસ (કોવિડ 19) ની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને તાજેતરમાં વધી રહેલા કોરોનાવાયરસના કેસોને ધ્યાનમાં રાખીને, અમદાવાદ મ્યુનિસિપલ અને આરોગ્ય મંત્રાલય દ્વારા નિર્દેશઅનુસાર મુસાફરોની મૂવમેન્ટને ધ્યાનમાં રાખીને

ટ્રેન નંબર 02547/02548 અમદાવાદ – આગ્રા ફોર્ટ – અમદાવાદ સ્પેશિયલ અને ટ્રેન નંબર 02247/02248 અમદાવાદ – ગ્વાલિયર – અમદાવાદ સ્પેશિયલ આગામી સૂચના સુધી અમદાવાદ સ્ટેશનથી સાંજે 16.30 વાગ્યેથી ચલાવવામાં આવશે.

28 નવેમ્બર 2020 થી અમદાવાદથી ચાલનારી અમદાવાદ – આગ્રા ફોર્ટ અને અમદાવાદ – ગ્વાલિયર સ્પેશિયલ ટ્રેનો સાબરમતી સ્ટેશનથી ચલાવવાનું આગળની સૂચના સુધી મુલતવી રાખવામાં આવ્યું છે. હવે આ બંને ટ્રેનો આગામી સૂચના સુધી 16.30 વાગ્યે અમદાવાદથી દોડશે. અગાઉ આ ટ્રેનો અમદાવાદથી સાંજે 16.55 વાગ્યે દોડતી હતી.

Advertisement