અમદાવાદ-દરભંગા ક્લોન, ગાંધીધામ-ભાગલપુર સ્પેશિયલ તથા અમદાવાદ-પટના ક્લોન ટ્રેન ના સમય માં પરિવર્તન

Ahmedabad station


 અમદાવાદ, ૧૮ ઓક્ટોબર: પશ્ચિમ રેલ્વે ના અમદાવાદ મંડળ થી ચાલનારી અમદાવાદ-દરભંગા ક્લોન ના  છાયાપુરી સ્ટેશન, ગાંધીધામ-ભાગલપુર સ્પેશિયલ ના અમદાવાદ સ્ટેશન અને અમદાવાદ-પટના ક્લોન ના છાયાપુરી સ્ટેશન ના આગમન અને પ્રસ્થાન સમય માં  ફેરફારો કરવામાં આવ્યો છે

જે નીચે મુજબ છે:

  1. ટ્રેન નંબર 09465 અમદાવાદ દરભંગા સાપ્તાહિક ક્લોન સ્પેશિયલ 23 ઓક્ટોબર 2020 થી છાયાપુરી સ્ટેશન પર તેના આગમન પ્રસ્થાન ના નિર્ધારિત સમય 22:01/22:04 ની જગ્યાએ બદલાયેલો સમય 22:14/22:17 રહેશે.
  2.  ટ્રેન નં. 09451 ગાંધીધામ – ભાગલપુર સ્પેશિયલ 23 ઓક્ટોબર 2020 થી અમદાવાદ સ્ટેશન પર આગમન પ્રસ્થાન નો નિર્ધારિત સમય 23:15/23:25 ની જગ્યાએ 23:05/23:25 વાગ્યાનો રહેશે અને વાપસીમાં ટ્રેન નંબર 09452 ભાગલપુર – ગાંધીધામ નો નિર્ધારિત આગમન પ્રસ્થાન નો સમય 02.30 / 02.40 ની જગ્યા એ 02.20 / 02.40 રહેશે.
  3. ટ્રેન નંબર 09447 અમદાવાદ – પટના ક્લોન સ્પેશિયલ સાપ્તાહિક 28 ઓક્ટોબર, 2020 થી અમદાવાદ થી ચાલવા નો  સમય 19.45 કલાક ને બદલે 19.30 કલાક નો રહેશે અને છાયાપુરી સ્ટેશન પર તેના આગમન પ્રસ્થાન નો નિર્ધારિત સમય 21.06 / 21.09 ને બદલે 21.17 / 21.20 કલાકનો રહેશે.

યાત્રીઓ કૃપા કરી બદલાયેલા સમયને ધ્યાનમાં રાખીને મુસાફરી કરે.

Advertisement

પ્રદીપ શર્મા
જનસંપર્ક અધિકારી
પશ્ચિમ રેલ્વે, અમદાવાદ,

********

loading…