સોમનાથ મહાદેવના દર્શનાર્થે રિલાયન્સના ગૃપ પ્રેસીડેન્ટ ધનરાજભાઇ નથવાણી
સોમનાથ,૩૧ જુલાઈ: પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સોમનાથ મહાદેવના દર્શનાર્થે રિલાયન્સના ગૃપ પ્રેસીડેન્ટ ધનરાજભાઇ નથવાણી આવેલ હતા. તેઓએ દર્શન તત્કાલ મહાપુજન કરી ધન્ય બન્યા હતા. આ પ્રસંગે તેઓનું સ્મૃતીભેટ આપી સન્માન ટ્રસ્ટના જનરલ મેનેજરશ્રી એ કરેલુ હતું.